SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ લાગે, મગ્નતાની નજીક સ્થિરતા લાગે; એમ ક્રમે ક્રમે બીજા, ત્રીજા, ચોથા..... એકત્રીસમા, બત્રીસમા અષ્ટકનો વિચાર કરી શકાય. આવો યાત્રામાર્ગનો કોઈ ક્રમ આપણે કદાચ ન માનીએ તો પણ આ અષ્ટકોમાં રજૂ થયેલ વિચારો સાધનામાર્ગમાં ઉપયોગી તો છે જ. પરંતુ ઉપસંહારના પહેલા ચાર શ્લોકોમાં ઉપાધ્યાયજીએ પોતે જ જ્યારે યોગીના કે મુનિના ગુણોરૂપે આ બત્રીસ અષ્ટકોના નામનો ક્રમ નોંધ્યો છે ત્યારે એમ લાગે છે કે આ કૃતિની રચના કરતી વખતે તેમના મનમાં સાધનામાર્ગનો કોઈક ચોક્કસ નકશો છે. આ નકશો ગમે તે હોય, પરંતુ સાધકને તેઓ એ દર્શાવવા માગે છે કે જો તેણે સાધનાના યાત્રામાર્ગે આગળ વધવું હોય તો તેનામાં આ અષ્ટકોના નામરૂપે વર્ણવ્યા તે સ્થિરતા, મગ્નતા, વિદ્યા, વિવેક વગેરે ગુણો હોય તે જરૂરી છે. કાર્ય-કારણ સંબંધથી આ અષ્ટકોનો વિચાર કરીએ તો જણાય છે કે પહેલું અષ્ટક જ કાર્ય છે તો બીજું અષ્ટક તેનું કારણ છે. બીજું અષ્ટક જો કાર્ય છે તો ત્રીજું અષ્ટક તેનું કારણ છે અને આમ ઉત્તરોત્તર આ બધાં અષ્ટકો કાર્યકારણ ભાવની સાંકળથી પણ બંધાયેલાં જણાય છે. જુદાં જુદાં મોતીને એક દોરામાં પરોવીએ તો એક માળા બને તેમ સાધનામાર્ગના દોરામાં પરોવાઈને અહીં બત્રીસ મોતીની આ એક સુંદર માળા બને છે. માળા તરીકે તો તે મૂલ્યવાન છે જ, સાથે સાથે એક એક અષ્ટક પણ સ્વતંત્ર મોતી અર્થાત્ મુક્તકની જેમ પાણીદાર અને મૂલ્યવાન છે. “જ્ઞાનસારમાં રજૂ થયેલ તાત્ત્વિક વિચારસરણીને સમજવા માટે આપણને તેમાં ચર્ચાયેલ વિષયોનો એક સર્વગ્રાહી ખ્યાલ હોય તે જરૂરી છે. “જ્ઞાનસારનાં બત્રીસ અષ્ટકોમાં આવરી લેવાયેલ વિષયોનું વિહંગાવલોકન કરવાથી તેનો જે સર્વગ્રાહી ખ્યાલ આવશે તે તેમાં રજૂ થયેલ તાત્ત્વિક વિચારસરણીને સમજવામાં ઉપયોગી થશે. બત્રીસ અષ્ટકોનું વિહંગાવલોકન સતુ, ચિત્, આનંદરૂ૫ આત્મા પોતે મૂળભૂત સ્વરૂપે પૂર્ણ હોવાથી સમગ્ર જગતને પણ તે પૂર્ણ જ જુએ છે એ વાત પહેલા “પૂર્ણતા-અષ્ટકના શ્લોકાર્ધમાં મૂકીને (૧૧)* પૂર્ણતાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે ઉછીના ધનથી કન * નોંધ : હવેથી આ પુસ્તકમાં જ્ઞાનસારના મૂળ શ્લોકોનો ઉલ્લેખ આ રીતે જ કરવામાં આવશે. આમાં પહેલો આંકડો અષ્ટકનું સૂચન કરે છે અને બીજો આંકડો શ્લોકનો નંબર સૂચવે છે. જ્ઞાનસારનું તત્ત્વદર્શન 52 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001468
Book TitleGyansaranu Tattvadarshan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorMalti K Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2000
Total Pages198
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, Philosophy, & Ethics
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy