SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જુએ છે તેથી તે પુગલમાં નહીં પણ આત્મામાં, વસ્તુના આંતરિક મૂળ સ્વરૂપમાં મગ્ન હોય છે. (૧૫) (ચ) પુલદષ્ટિ બંધનયુક્ત વ્યક્તિ માત્ર બાહ્યદૃષ્ટિ-પુદ્ગલદૃષ્ટિથી જ વિચારીને પોતાનું જીવન વ્યતીત કરે તો આ પુદ્ગલદૃષ્ટિથી તેના જીવનમાં નવાં નવાં કર્મબંધનો પેદા થાય છે. વ્યક્તિ સજાગ બને, પુત્ર-સ્ત્રી વગેરે સર્વ બંધનોનો ત્યાગ કરે, મૂછથી મુક્ત બને, માત્ર જ્ઞાનમાં જ આસક્ત બને, તત્ત્વદૃષ્ટિવાન બને ત્યારે તેને પુદ્ગલદૃષ્ટિથી ઉદ્ભવતું બંધન થતું નથી. (૨૫/૬) (છ) પુગલભોજનથી અતૃપ્તિ પુદ્ગલભોજન અને જ્ઞાનામૃતભોજન વચ્ચે ઘણો મોટો તફાવત છે. પુદ્ગલભોજન એટલે આપણે જે ભોજન લઈએ છીએ તે, જે જમીએ છીએ તે. જો આ ભોજન સહેજ વધારે લેવાઈ જાય તો અપચો થાય, અજીર્ણ થાય, વિકૃત વાયુના ઓડકાર આવે. પરંતુ જે યોગી પુદ્ગલને ત્યજીને ધ્યાનમાં લીન બને છે તેને જ્ઞાનરૂપી અમૃતના ભોજનથી જે તૃપ્તિ મળે છે તેનાથી તેને ધ્યાનરૂપ અમૃતના વિશુદ્ધ ઓડકાર આવે છે. (૧૦૭) પુદ્ગલ ભોજનથી અતૃપ્તને (પૂરો સંતોષ ન પામેલાને) ખરાબ ઓડકાર આવ્યા કરે છે, જ્યારે જ્ઞાનામૃતના ભોજનથી તૃપ્ત થયેલાને ધ્યાનામૃતના ઓડકાર આવે છે. (જ) પુદ્ગલથી પુદ્ગલ જ તૃપ્ત થાય પુદ્ગલથી કોણ તૃપ્ત થાય? પુદ્ગલથી પુદ્ગલ જ તૃપ્ત થાય છે. તે જ રીતે આત્માથી આત્મા તૃપ્ત થાય છે. પુદ્ગલથી કદી આત્મા તૃપ્ત થાય નહીં, સમ્યગુ જ્ઞાની વ્યક્તિ એક દ્રવ્યનો ધર્મ બીજા દ્રવ્યમાં આરોપે નહીં એટલે કે પુદ્ગલનો ધર્મ આત્મામાં અને આત્માનો ધર્મ પુદ્ગલમાં આરોપે નહીં. (૧૦/૫). (૪) પુદ્ગલથી પુગલ લેપાય બીજી રીતે વિચારીએ તો પુલ વડે પુદ્ગલોનો સ્કન્ધ જ લેપાય છે, હું એટલે કે આત્મા લપાતો નથી. આકાશમાં ગમે તેટલું ચિતરામણ હોય તો પણ આકાશ પોતે વિવિધ વર્ણવાળા તે ચિતરામણથી ખરડાતું નથી, તે જ રીતે પુદ્ગલથી પુદ્ગલ જ લેપાય છે, આત્મા લપાતો નથી. (૧૧૩) આત્માને બંધન લાગતું નથી. તત્વવિભાવના 83 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001468
Book TitleGyansaranu Tattvadarshan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorMalti K Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2000
Total Pages198
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, Philosophy, & Ethics
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy