SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ કરી છે તે ખાસ ધ્યાન ખેંચે તેવી છે. જગતના ચર એટલે જંગમ, ત્રણ કે ચલ તત્ત્વો અને અચર એટલે સ્થાવર કે સ્થિર તત્ત્વો. તે બધાને યોગી વ્યક્તિ બ્રહ્મસ્વરૂપ જ જુએ છે. કર્મને કારણે જે ભેદો પેદા થાય છે તેને, એટલે કે પર્યાયાસ્તિક નયને ગૌણ કરીને અને બ્રહ્મના અંશરૂપ મૂળ સ્વરૂપને, એટલે કે દ્રવ્યાસ્તિક નયને મુખ્ય ગણીને યોગી વ્યક્તિ ચરાચર જગતને આત્માથી અભિન્ન જુએ છે. (ખ) સમતાવાન મુનિ ચરાચરમાં અતુલનીય ચરાચર જગતનો ઉલ્લેખ બીજી રીતે પણ જોઈ શકાય છે. “જે મુનિનો સમતારસ સતત વૃદ્ધિ પામ્યા કરે છે તેની સાથે સરખામણી કરી શકાય તેવો કોઈ પદાર્થ ચરાચરમાં, એટલે કે જગતમાં નથી.” (૩/૬) ચરાચર જગતમાં એવી કોઈ વસ્તુ, એવો કોઈ પદાર્થ નથી, જેની સરખામણી એવા મુનિ સાથે કરી શકાય કે જેનો સમતારસ એટલે કે ઉપશમભાવ સતત વધ્યા કરે છે. અહીં સમતારસનું મહત્ત્વ સંક્ષેપમાં પણ ખૂબ સૂચક રીતે દર્શાવ્યું છે. (ગ) જગતના તત્ત્વને જાણે તે મુનિ જે જગતના તત્ત્વને જાણે તે મુનિ – એમ તીર્થંકર ગણધરોએ કહેલ છે.” (૧૩/૧) અર્થાત્ જગતનાં તત્ત્વનું જ્ઞાન હોવું એ “મુનિપદની વ્યુત્પત્તિના નિમિત્તરૂપ છે. જે મુનિ છે તેને જગતના મૂળ તત્ત્વનું જ્ઞાન તો હોય જ, તે અપેક્ષિત છે. (૧) સ્યાદ્વાદથી જગતને જાણનારમાં સાક્ષીભાવ જે સાધક છે તેનામાં કર્તાપણું નહીં પણ સાક્ષીપણું હોય છે. “પોતાના સ્વાભાવિક આનંદમાં (સહજાનંદમાં) મગ્ન થયેલા અને જગતના તત્ત્વનું એટલે કે જગતના શુદ્ધ સ્વરૂપનું સ્યાદ્વાદ વડે પરીક્ષણ કરીને અવલોકન કરનાર આત્માને અન્ય ભાવોનું એટલે કે આત્માથી ભિન્ન બીજા પદાર્થોનું કર્તાપણું નથી, પણ સાક્ષીપણું બાકી રહે છે.” (૨/૩) સહજાનંદમાં મગ્ન સાધક વ્યક્તિ જગતના મૂળ સ્વરૂપને સ્યાદ્વાદ દ્વારા જાણીને સાક્ષીભાવે મસ્ત રહે છે. આત્માથી અભિન્ન અને બ્રહ્મસ્વરૂપ એવા ચરાચર જગતના તત્ત્વને સ્યાદ્વાદ વડે જાણીને સહજાનંદમાં મગ્ન મુનિ સાક્ષીભાવે જ રહે છે – આ સાધક માટેની આવશ્યક કહી શકાય એવી બાબતોનો ઉલ્લેખ જગત અંગેના આ શ્લોકોમાં થયેલો જોઈ શકાય છે. જગત અંગેની બીજી કોઈ તાત્ત્વિક ચર્ચા કે કોઈ ઉલ્લેખ “જ્ઞાનસાર”માં થયેલ નથી. જ્ઞાનસારનું તત્ત્વદર્શન 16. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001468
Book TitleGyansaranu Tattvadarshan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorMalti K Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2000
Total Pages198
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, Philosophy, & Ethics
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy