SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આ દાર્શનિક અને આચારવિષયક વિષયોની રજૂઆત “જ્ઞાનસાર'માં શુષ્ક ચિંતનરૂપ બનવાને બદલે કવિત્વમય બની છે તે ઉપાધ્યાયજી મહારાજની વિશેષતા છે. તેથી જ “જ્ઞાનસાર'ની શૈલી “પ્રસન્નમમરા ” છે તેમ આપણે કહી શકીએ છીએ. તેમાં પ્રસન્નતા પણ છે અને સાથે સાથે ગાંભીર્ય પણ છે. ગહન તાત્વિક બાબતની રજૂઆત “જ્ઞાનસારમાં ઠેરઠેર કવિસુલભ કલ્પનાઓ, કાવ્યાલંકારો અને લૌકિક દૃષ્ટાંતો સાથે કરવામાં આવી છે. અન્યત્ર ભાગ્યે જ જોવા મળી શકે તેવો પ્રસાદમધુર કવિતા અને ગહન તત્ત્વચિંતનનો સુમેળ “જ્ઞાનસારમાં જોવા મળે છે. અહીં આપણને માત્ર તર્ક કે બુદ્ધિની કક્ષાએથી રજૂ થતી વાણી નહીં, પણ અનુભવની ઉચ્ચ કક્ષાએથી રજૂ થતી વાણી સતત અનુભવાય છે. એક તો, આધ્યાત્મિક ગ્રંથોના ભાવોને વ્યક્ત કરવા માટે અનુકૂળ એવી સંસ્કૃત ભાષા અને તેમાંય અનુછુપ છંદ. ગંભીર ભાવોને વ્યક્ત કરવા માટેનો તે એક અનુકૂળ છંદ તો છે જ, સાથે સાથે તેમાં અર્થભારના વહનની ક્ષમતા પણ સવિશેષ છે. પૂર્વાચાર્યોએ રચેલાં શાસ્ત્રોના આધાર સાથે અનુભૂતિની વાત જ્યારે અનુકૂળ ભાષા અને છંદના માધ્યમ દ્વારા વ્યક્ત થાય ત્યારે તેનું મૂલ્ય ઘણું ઊંચું ગણાય. કોઈ પણ ધર્મ જેનો ઇન્કાર ન કરી શકે તેવાં સનાતન સત્યો પણ તેથી સ્વાભાવિક રીતે જ અહીં વ્યક્ત થઈ જાય છે. આ અષ્ટકોના શ્લોકોમાં વિચારનો એક પ્રવાહ અવિરતપણે ચાલ્યો આવતો દેખાય છે અને ઉપક્રમે પસંહારયરિવચમ્' – એ ન્યાયે પ્રત્યેક અષ્ટકના પ્રથમ શ્લોક અને આઠમા શ્લોકમાં એક પ્રકારનો સંબંધ જોવા મળે છે. જૈન દર્શનની પરિભાષામાં કહીએ તો નિશ્ચય અને વ્યવહાર, વાસ્તવિકતા અને આદર્શ, દ્રવ્ય અને ભાવ, જ્ઞાન અને ક્રિયા જેવા સામસામા છેડાના ભાવોનો સમન્વય “જ્ઞાનસાર'માં જોવા મળે છે. આવા સમન્વય દ્વારા એક સંવાદી જીવનમાર્ગનું આલેખન અહીંયાં દેખાય છે.” અનુભૂતિની વાણી જ્ઞાનસારના શ્લોકો વાંચતાં ખ્યાલ આવે છે કે તેમાં ઉપનિષદની જેમ સીધી જ અનુભૂતિની વાણી છે. બીજી રીતે કહીએ તો બહુમુખી પ્રતિભાના સ્વામી એવા ઉપાધ્યાયજી મહારાજને પોતાને પણ “પરમાનંદની અનુભૂતિ થઈ જ હશે, તેવું આ અષ્ટકોને સમગ્રપણે અવલોક્યા પછી પ્રતીત થાય તેમ છે. અહીંયાં સાધક માટે તેઓ જે માર્ગનું આલેખન કરે છે તેમાં સાધકને માત્ર પાંચ બાહ્ય ઇન્દ્રિયો અને છઠ્ઠા મનની કક્ષાની પ્રાપ્તિઓ સુધી લઈ જઈને સંતોષ નથી જ્ઞાનસારનું તત્ત્વદર્શન 50 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001468
Book TitleGyansaranu Tattvadarshan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorMalti K Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2000
Total Pages198
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, Philosophy, & Ethics
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy