SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વખતે “જ્ઞાન સ્વપ્રકાશક છે' એમ દર્શાવીને મીમાંસકો, નૈયાયિકો અને બૌદ્ધોના મતથી જૈન મતની ભિન્નતા સ્પષ્ટ કરી છે. વાદી દેવસૂરિના મતને અનુસરીને ઉપાધ્યાયજીએ અહીંયાં સ્વ અને પરના વ્યવસાયી જ્ઞાનને પ્રમાણ તરીકે ઘટાવ્યું છે. ૮૦૦ શ્લોકપ્રમાણ આ ગ્રંથમાં “પ્રમાણ', “નય” અને “નિક્ષેપ' આ ત્રણ બાબતોની ચર્ચા કરતા ત્રણ પરિચ્છેદ મુખ્ય છે. ૧૨મી સદીમાં બૌદ્ધ વિદ્વાન મોક્ષાકરે ‘બૌદ્ધ તર્કભાષા” રજૂ કરી, ૧૩મી-૧૪મી સદીમાં વૈદિક વિદ્વાન કેશવમિટે વૈદિક તર્કભાષા' રજૂ કરી; તે પ્રમાણે ઉપાધ્યાયજીએ “જૈન તર્કભાષાની રચના કરી. દિગંબર વિદ્વાન અકલંકની તાર્કિક રીતે નિરૂપણ કરવાની શૈલીનો આધાર તેમણે આ કૃતિમાં લીધો છે. પ્રમાણ, નય, નિક્ષેપની ચર્ચામાં ગ્રંથનું બાહ્ય સ્વરૂપ અકલંકની કૃતિ ‘લવીયસ્ત્ર પ્રમાણે રાખ્યું છે. તેના આંતરિક સ્વરૂપમાં પ્રમાણ અને નયની ચર્ચા શ્વેતાંબર અને દિગંબરમાં સમાન છે, પરંતુ નિક્ષેપની ચર્ચા તેમણે “વિશેષાવશ્યક' પ્રમાણે કરી છે. આગમિક તેમ જ જૈન તાર્કિક પ્રમેયોનું આ ગ્રંથમાં નબન્યાયની પરિભાષામાં વિશ્લેષણ અને એક જ જગ્યાએ સંગ્રહાત્મક વર્ણન છે. “જૈન તર્કભાષા'નું તાત્પર્ય સમજાવવા માટે અને તેનાં મૂળ દર્શાવવા માટે સંગ્રહની દૃષ્ટિએ તેના પર “તાત્પર્યસંગ્રહાખ્યવૃત્તિ' તેમણે પોતે જ રચી છે. શાસ્ત્રીય વિચારો રજૂ થયા હોવાથી આ સંક્ષિપ્ત કૃતિ પણ દાર્શનિક દૃષ્ટિએ ખૂબ અગત્યની બની ગઈ છે. જ્ઞાનાર્ણવ પ્રકરણ' એ તેમનો સંસ્કૃતમાં નબન્યાયની શૈલીથી લખાયેલ જ્ઞાનમીમાંસાત્મક ગ્રંથ છે. જૈન મત પ્રમાણે જ્ઞાનના પાંચ પ્રકારોની રજૂઆત આમાં છે. જ્ઞાનના પાંચ પ્રકારો વિષે બીજાંઓએ કરેલાં અપૂરતાં કે ભૂલભરેલાં વિધાનોનું અહીંયાં ખંડન કરવામાં આવેલ છે. “અર્ણવ' એટલે મહાસાગર, અને તેના તરંગોરૂપે આ ગ્રંથના ચાર વિભાગને ‘તરંગ' નામ અપાયેલ છે. આ ગ્રંથ અપૂર્ણ મળે છે. આ ગ્રંથ ઉપર ઉપાધ્યાયજીએ પોતે જ સ્વોપન્ન-વિવરણ લખ્યાનો ઉલ્લેખ મળે છે, પરંતુ અત્યારે તે વિવરણ પ્રાપ્ત નથી. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન– જ્ઞાનના આ પાંચ પ્રકારો દર્શાવીને પહેલા તરંગમાં જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે વિભાગરૂપે સમજૂતી આપવામાં તેઓ જૈન મતના બદલે ન્યાયદર્શનને અનુસર્યા છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનાં સામ્ય અને વૈષમ્ય સંબંધી જૈન મતમતાંતરોની વિસ્તૃત ચર્ચા પણ તેમણે પહેલા તરંગમાં કરી છે. બીજા તરંગમાં મતિજ્ઞાનના પેટા વિભાગોનું વિશ્લેષણ છે. ત્રીજા તરંગમાં વધારે સૂક્ષ્મ દૃષ્ટિથી મતિજ્ઞાનનું વિશ્લેષણ કરી જ્ઞાનસારનું તત્વદર્શન 28 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001468
Book TitleGyansaranu Tattvadarshan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorMalti K Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2000
Total Pages198
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, Philosophy, & Ethics
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy