SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ અને પોતાની વાત રજૂ કરતી વખતે તેઓ જ્યારે શાસ્ત્રના આધારો ટાંકે છે ત્યારે તેમની વાતનું વજન વધી જાય તે સ્વાભાવિક છે. ઉપનિષદની જેમ “જ્ઞાનસાર'માં અનુભૂતિની વાણી તો છે જ. આ અનુભૂતિની વાતને જ્યારે શાસ્ત્રનો આધાર મળે છે ત્યારે સોનામાં સુગંધ ભળ્યા બરોબર થાય છે. પોતાની અનુભૂતિની વાતનાં મૂળ જ્યાં જ્યાં પડેલાં છે તેનો જ્યારે તેઓ અવતરણ આપીને ઉલ્લેખ કરે છે ત્યારે કોઈ વૈજ્ઞાનિક સાબિતી અને પુરાવા સાથે પોતાના સિદ્ધાંતની વાત મૂકતા હોય તેવી રજૂઆત બની જાય છે. તેઓએ “જ્ઞાનસારમાં જે અવતરણો આપ્યાં છે તેના આધારે તેમના પુરોગામીઓ તેમજ પૂર્વાચાર્યોની તેમના પર પડેલી અસરનો ખ્યાલ આવી શકે તેમ છે. “જ્ઞાનસારમાં તેઓએ જે અવતરણ આપ્યાં છે તેને ૧. આગમ સાહિત્ય, ૨. આગમેતર જૈન સાહિત્ય, ૩. જૈનેતર સાહિત્ય અને ૪. લોકસાહિત્ય - આ ચાર વિભાગોમાં વિભાજિત કરીને તેમના પર પડેલા તેઓના પુરોગામીઓના પ્રભાવનો આછો પરિચય મેળવી શકાય. ૧. આગમ સાહિત્ય પોતાનાં દીક્ષાનાં પ્રારંભનાં વર્ષોમાં ગુરુ પાસે જૈન સાહિત્યનો વિશદ અભ્યાસ કરવાની જે તક મળી તેને કારણે આગમ સાહિત્યના સંસ્કાર તો હતા જ. “જ્ઞાનસાર”નાં અવતરણોમાં તેમણે ક્યાંક આગમોમાંથી સીધો ઉલ્લેખ કર્યો છે, ક્યાંક અપ્રત્યક્ષ રૂપે આગમની વિચારણા રજૂ કરી છે તો ક્યાંક સંસ્કારને કારણે અજાણતાં જ આગમની અસરથી લખ્યું છે. પરબ્રહ્મમાં થતી તૃપ્તિ અવર્ણનીય છે, કામભોગોમાં મોહ આવે ત્યારે કર્મબંધ થાય છે, મૂર્છાથી પરિગ્રહ છે – વગેરે વિચારો પોતે “જ્ઞાનસારમાં રજૂ કર્યા છે તે કાંઈ નવા નથી, માત્ર આગમોના વિચારોને જ નવા સંદર્ભમાં જુદી રીતે રજૂ કરીને દઢ કર્યા છે તેનો ખ્યાલ આ આગમોમાંથી આપેલાં અવતરણોને આધારે આવે છે. (ક) “આચારાંગસૂત્ર' આચારાંગસૂત્રમાં જણાવ્યા પ્રમાણે “જેનું કોઈ પદ (આ કે તે અવસ્થા) નથી તેનું વર્ણન કરવા માટે કોઈ શબ્દ જ નથી” અર્થાત્ “વર્ણાદિ અવસ્થારહિત આત્માના સ્વરૂપનું વર્ણન કરવા માટે કોઈ શબ્દ જ નથી, કારણ કે તે અવર્ણનીય છે.” એ જ વાતને “જ્ઞાનસાર'માં “પરબ્રહ્મમાં સાધકને થતી તૃપ્તિને વાણી દ્વારા દર્શાવી શકાય તેમ નથી.” તે રીતે ઝીલવામાં આવી છે. પરબ્રહ્મ અને તેના જ્ઞાનસારનું તત્ત્વદર્શન 118 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001468
Book TitleGyansaranu Tattvadarshan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorMalti K Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2000
Total Pages198
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, Philosophy, & Ethics
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy