SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપની સ્પષ્ટ અને નિદ્ભુત અનુભૂતિ કરાવી આપે તે પ્રકારનું હોવું જરૂરી છે. તેઓ જણાવે છે : “જે જ્ઞાન આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું (વાસના કે impressionનું) કારણ બની શકે તે જ જ્ઞાન ઇચ્છિત છે.” (૫(૩) સાચો જ્ઞાનવાન પુરુષ જીવનમાં હરહંમેશ સમભાવ જ ધરાવે છે. આ સમભાવ કે સમતાની વાત કરતાં છઠ્ઠા “શમ-અષ્ટક'માં કહેવામાં આવ્યું છે કે, બીજા અનેક ગુણો હોય પણ સમતા ન હોય તો બધા ગુણો એકડા વગરના મીંડા જેવા બની જાય છે. આ શમ કે સમતા મેળવવા માટે ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો જરૂરી છે તે વાત લઈને આવે છે “ઇન્દ્રિયજય-અષ્ટક'. જેમ સમુદ્રમાં ગમે તેટલી નદીઓ ઠલવાય તો પણ સમુદ્ર પુરાતો નથી તેમ ઇન્દ્રિય પોતે ગમે તેટલો ઉપભોગ ભોગવે તો પણ તે સંતોષાતી નથી. સાધકે બહિર્મુખતા છોડીને અંતર્મુખ થવું જરૂરી છે, કારણ કે સાચું જ્ઞાનરૂપ ધન તો આત્માની પોતાની અંદર જ પડેલું છે. ઇન્દ્રિયો પર વિજય મેળવનાર સાધક અંતર્મુખ હોય છે, તેથી તે બાહ્ય ઉપાધિઓનો ત્યાગ કરતો જાય છે. “ત્યાગ-અષ્ટકમાં ઉપાધ્યાયજી જણાવે છે કે, સાધક પોતાના સાંસારિક કુટુંબને ત્યજીને આધ્યાત્મિક ગુણોરૂપ કુટુંબમાં રમમાણ, બને છે. સાધક વ્યક્તિ ક્રમશઃ કુટુંબને ત્યજે છે, ગુણોને ત્યજે છે, આગળ વધતાં તે ગુરુ અને આચારનો પણ ત્યાગ કરીને નિર્વિકલ્પ સમાધિની અવસ્થા પામી શકે છે. બધું ત્યજવાની વાત કરીએ તો સાધકે કાંઈ નહીં કરવાનું ? ના, તેમ નથી. સાધક માટે માત્ર જ્ઞાન પર્યાપ્ત નથી, પરંતુ જ્ઞાનને અનુરૂપ ક્રિયા પણ જરૂરી છે – આ વાત “ક્રિયા-અષ્ટકમાં ભારપૂર્વક રજૂ થઈ છે. તેઓ સ્પષ્ટ રીતે જણાવે છે : “માર્ગનો જાણકાર પણ ચાલ્યા વગર ઇચ્છિત સ્થાને પહોંચતો નથી.” (૯/૨૦૧૧ ધ્યેય સુધી પહોંચવા માટે માર્ગનું જ્ઞાન જેટલું જરૂરી છે, તેટલી જ જરૂરી ચાલવાની ક્રિયા પણ છે. સાધકના પોતાના ગુણોની વૃદ્ધિ માટે અને તે જે સ્થાને પહોંચ્યો હોય ત્યાંથી પતિત ન થવાય તે માટે ગુણીજનોનું બહુમાન, વ્રતાદિનું નિત્યસ્મરણ તથા આચરણ, શુભ ભાવને ઉત્પન્ન કરવો અને ટકાવવો વગેરે ક્રિયાઓ જરૂરી છે. અંતર્મુખી સાધક જરૂરી ક્રિયાઓ કરીને ધ્યેયની નજીક પહોંચવાનો સતત પ્રયત્ન કરે ત્યારે સાધકને સાચી આંતરિક તૃપ્તિ પ્રાપ્ત થાય છે તે વાત “તૃપ્તિ જ્ઞાનસારનું તત્ત્વદર્શન 54 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001468
Book TitleGyansaranu Tattvadarshan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorMalti K Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2000
Total Pages198
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, Philosophy, & Ethics
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy