________________
૧)
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચનો રત્નો-૧ એના ગુણો-જેના ગુણનો અંત નહીં, પર્યાયનો અંત નહીં. એટલી સંખ્યાએ.. કાળે અનંત એમ નહીં, કાળે ભલે એકસમય હો! પણ એકસયમનું તેનું ગુણને પર્યાય, એકસમયની પર્યાયમાં જણાય જાય (તો) એક સમયની પર્યાયના ભાગ કેટલા? એના ભાગ.. કટકાં કરતાં, કરતાં, કરતાં અવિભાગ, જેનો બીજો વિભાગ ન થઈ શકે (તે અવિભાગ !) ઓહો!
એવા એકસમયની પર્યાયમાં અનંતા અવિભાગપ્રતિચ્છેદ! એના-અવિભાગ પ્રતિચ્છેદનો ઈશ્નો ક્યો? અંત નથી.
હવે, આંહી તો એમ કહેવું છે કે જેટલા ગુણો છે એટલા જ્યાં દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત થાય છે–ત્યારેવાત ત્રણની લીધી છે આંહી ભાઈ..! પણ અનંતા ગુણોની પર્યાય વ્યક્ત થઈને સ્થિર થાય છે ત્યાં! શુદ્ધિમાં કેટલીક શુદ્ધિ થાય ને કેટલીક ન થાય એમ નહીં.
પણ અહીંયાં દર્શનશાનચારિત્રની મુખ્યતા ગણીને, તેમાં જીવ જે આખો, અનતગુણનો પિંડ છે તેસ્થિર થાય છે આમ રાગમાં સ્થિર થાય છે. એ પછી કહશે. આહા.! અને ગુણો છે, એનું એકરૂપ જે દ્રવ્ય છે. અનંત ધર્મ એ ગુણો એનું ધરનાર એક તત્ત્વ !
એ (આત્મ) તત્ત્વ જ્યારે પોતાની નિર્મળપર્ધામાં સ્થિત થાય છે ત્યારે તેના જેટલા ગુણો છે, તેટલા ગુણોનું વ્યક્તતામાં અંશો બધા ગુણોના પ્રગટ થાય છે. છતાં અહી ત્રણ કહ્યા છે ઈ મુખ્યપણે મોક્ષમાર્ગની અપેક્ષાએ. સમજાણું કાંઈ....?
ગંભીર છે ભાઈ.! ગંભીર દરિયો છે! બીજાં ઘણાં વિચારો આવ્યા છે! પાર પડે એમાં એવું
નથી!
આહા... હા! “અને જે જીવ (કર્મ) પુદ્ગલર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે. હવે આંહી કર્મપુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત શબ્દ એમ વાપર્યો છે. વાત ઈ છે કે પુદ્ગલના નિમિત્તે થતી વિકારી અવસ્થા, તેમાં સ્થિત છે. એ સ્થિતિમાં અનંતગુણો વિકારપણે નથી. અનંતાગુણો નિર્મળપણે હતાં! સમજાણું કાંઈ...?
પહેલાના જે દર્શનશાન ચારિત્ર (ગુણ) ત્રણ મુખ્ય લીધાં, પણ તેમાં જેટલી સંખ્યામાં ગુણ (આત્મામાં) છે, જેનો છેડો નહીં! એ બધા ગુણોની અંશે વ્યક્તતા પ્રગટમાં સ્થિત છે. તેને અહીં સ્વસમય આત્મા કહે છે.
આહા.. હા! આ તો ઓગણીસ (મી) વાર વંચાય છે ‘આ’ . તે ઈjઈ આવે કાંઇ..?
આહાહા! હવે આમાં બીજું કહેવું છે. કે “જે જીવ પુદ્ગલકર્મોના પ્રદેશોમાં’ એ પુદગલકર્મોના પ્રદેશોમાં” એ પુદ્ગલકર્મ જડ-અજીવ છે. પણ તેના અનુભવમાં એ એકાગ્ર થાય છે. એમાં જેટલા ગુણો છે ઈ બધા ગુણો, કર્મના પ્રદેશમાં સ્થિત થતા નથી. કેટલાય ગુણોની પર્યાય નિર્મળ સદાય રહે છે. સમજાણું કાંઈ..?
એ એક વાત ! બીજું, કર્મપણે પરિણમેલા જે પરમાણુ છે એમાંય કર્મ-પરમાણુમાં જેટલા ગુણો છે એ બધા ગુણો કર્મપણે પરિણમે છે એમ નથી આહા..! ક્યાં નવરાશ ! જગતના પાપ આડે! એકલું પાપ, પોટલા બાંધી, હાલ્યા જવાના ચાર ગતિમાં રખડવા..!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com