________________
નગર કે શહેર ફરતો કોટ કે કિલ્લો હોય તે નગરનું બંધન નથી
TWEE
Kalp પણ સુરક્ષાનું કવચ છે. તે અત્યંત મજબૂત હોવા જોઈએ. હા, તેમાં યોગ્યસમયે જવા-આવવાના દરવાજા હોવા જોઈએ; કોઈ અનિષ્ટકારક તત્ત્વો પ્રવેશી ન જાય તેની કાળજી રાખનાર રખેવાળચોકિયાત પણ હોવા જોઈએ. કિલ્લાની એક ઈંટ પણ કાચી પડે, નાનું બાકોરું પડે કે ગઢમાં ગાબડું પડે, તો તરત જ તેની મરામત કરાવી લેવાય છે. ગઢ તો છિદ્ર વિનાનો જ હોવો જોઈએ. તે જેટલો મજબૂત તેટલી આપણી સલામતી. આ સમજણ સ્પષ્ટ છે, કિલ્લામાં સુરક્ષિત રહેનાર એની મજબૂતીનું ગૌરવ અનુભવે છે.
PA
PIC FIE IRISI HIS ગામ Spice
이
Jpsy 1-516 ET
BS
સંયમ એ યમનો પણ યમ છે 109
Jain Education International
ble
તન, મન અને જીવનની સાત્ત્વિકતાને સદાય વિકસિત રાખવા માટે,, એની ઉત્તરોત્તર સમૃદ્ધિ માટે, બહારનાં કોઈ નુકસાનકારક તત્ત્વો અંદરની પવિત્રતાને અભડાવી ન દે, ખંડિત ન કરે તે માટે આપણને સંયમ – નિયમના કિલ્લાના રક્ષણની જરૂર છે. આપણી વૃત્તિ અને પ્રવૃત્તિ ઉપર કાબૂ રાખવો હિતાવહ છે. આ તો નહીં જ
આ તો ખરું જ
આવા સંકલ્પ કરીએ અને તેને દૃઢ બનાવવા માટે, એની ફરતો કિલ્લો બનાવીએ, એનું નામ પ્રતિજ્ઞા – નિયમ.
આવા નિયમો જેટલા દૃઢ, પોલ વિનાના, તેટલી આપણાં આંતરજીવનસૌંદર્યની સલામતી વધારે. સ્વચ્છ અને ડાઘ વિનાના જીવન માટે તે જરૂરી છે.
એક કહેવત યાદ રાખવા જેવી છે :
નાથ વિનાનો બળદ નકામો અને નિયમ વિનાનો મરદ નકામો. આપણે સ્વેચ્છાએ, તન-મન-જીવનને સ્વચ્છ, સ્વસ્થ અને સત્ત્વસભર બનાવવા, નિયમિત થવાનો, સંયમિત થવાનો પ્રયત્ન કરીએ.
For Private & Personal Use Only
ચિંતન : ૧૧ www.jainelibrary.org