________________
જે નકારાત્મક લાગણી ઉત્પન્ન થઈ તેનાથી જશે. જે કાળે બનવાનું છે તે બનશે” એમ બોલવાનું કે જીવનઉર્જાનું અધોગમન થાય છે. કાંઈ પણ લાભ થવાને વિચારવાનું નથી પણ જે કાળે બનવાનું હતું તે બન્યું. બદલે નુકશાન જ થાય છે, તેથી ચિત્તને એવું કેળવવું હવે નવેસરથી પુરુષાર્થ કરીશું તો જે ધારીશું તે બનશે જોઈએ કે એ આવા વિચારમાં રોકાય જ નહીં. એમ વિચારીને પુરુષાર્થને સતેજ બનાવવાનો છે.
આવે વખતે ચિત્તને શાન્તિમાં રાખવા રાગદ્વેષની વૃદ્ધિ નથી કરવાની અને પુરુષાર્થની નિયતિવાદનો, ભવિતવ્યતાનો સહારો લેવાનો; એ કાળે હાની નથી કરવાની, એવા વિચારો કરવાથી શક્તિનું ઘટના બનવાની હતી તે બની, હવે તેનો શોક, સંતાપ ઉર્વીકરણ થાય છે. ચિત્ત અકારણ પ્રસન્ન રહે છે. ઘટના કે વિષાદ શા માટે ?
ગમે તેવી હોય, તેને જોવાની આપણી દ્રષ્ટિ સવળી હોય જે ઘટના બની નથી તેને માટે નિયતિવાદનો સહારો
રોડ તો દેખીતી રીતે દુઃખદ દેખાતી ઘટના પણ આપણા માટે લેવાનો નથી. જો તેમ કરીશું તો પુરુષાર્થની હાની થઈ સુખદ બની જાય.
ચોરી અને તે પુસ્તકની ! ભલે થાય
વાત છે શેઠ પ્રેમાભાઈના નામે તૈયાર થયેલા હૉલના ઉદ્ઘાટન પ્રસંગની. અમદાવાદના તે વખતના કોટની અંદરના વિસ્તારનો એક શોભીતો અને જાજરમાન હૉલ. તેનો ઉદ્દઘાટન સમારોહ પણ ઠાઠથી ઉજવાયો. શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ તો મુખ્ય હતા જ; સાથે અમદાવાદ શહેરના તમામ ક્ષેત્રની ટોચની વ્યક્તિઓની હાજરીમાં આ સમારોહ સંપન્ન થયો.
સમારોહ પૂરો થયા પછી આમંત્રિત મહેમાનો નવા મકાનના એક-એક રૂમ જોવા લાગ્યા. ફરતાં ફરતાં લાઇબ્રેરી વિભાગમાં આવ્યા. કસ્તૂરભાઈ શેઠની સાથે અન્ય પંદર-વીસ શેઠીયાઓ હતા. લાઇબ્રેરીના ઉત્સાહી વ્યવસ્થાપક ભાઈ કબાટની ગોઠવણીની વાત સમજાવતા હતા. બારી પાસેથી કબાટની હાર ગોઠવવાની વાત કરી તો એ વૃન્દમાંથી એક જણ બોલ્યું કે આ બારી પાસે કબાટ રાખશો તો કબાટમાંથી ચોપડીઓ કોઈક ચોરી જશે, માટે બારીથી તો દૂર જ રાખજો
આ સાંભળી કસ્તૂરભાઈ બોલ્યા : શું કહ્યું? એમ કરવાની જરૂર નથી. ચોરી અને તે પુસ્તકની ? અમદાવાદમાં? એવો દિવસ ક્યારે ઊગે ? પુસ્તક ચોરીને પણ કોઈ વાંચે તો-તો પ્રજાને ઘણો જ જ્ઞાનલાભ. અરે ! કબાટ પણ ખુલ્લા જ રાખજો !
બધાના હાસ્યના પડઘાથી પ્રેમાભાઈ હૉલ ગાજી રહ્યો!
કથા-પરિમલ : ૨૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org