________________
પરમના કૃપારસને મેળવવા,
પાત્રતા વિકસાવીએ
આપણે પરમને પ્રાર્થના કરીએ અને તે પ્રાર્થના ઓછી ફળે તો, આપણે પરમની શક્તિમાં શંકા કરવાને બદલે, આપણી પાત્રતા તરફ નજર કરીએ તો, તરત જ મર્મ પકડાશે કે પાત્રતા પ્રમાણે જ ફળ મળ્યું છે. જેવો પાત્રતાનો વિકાસ થશે કે તરત જ ફળનું પ્રમાણ વધવા લાગશે. ગંગાનો અફાટ જળરાશિ અગાધ અને અપાર છે; તે તમને ભીંજવવા અને તૃપ્ત કરવા, તમારા પાત્રને છલકાવવા તત્પર છે, પણ તે તમારા પાત્રમાં સમાય તેટલું જ આપી શકે, તેથી વધારે નહીં. આ જેટલું જળ જોઈએ, તેટલું પાત્ર લઈ જવું પડે. પાત્ર જેટલું હોય, તેટલું જળ મળે. પરમાત્માની કૃપાનું પણ, આવું જ છે. પરમાત્માની શક્તિનું અવતરણ પણ, એવું જ છે. આપણી પાત્રતા પ્રમાણે લાભ કરે. આપણે તો, આપણા પાત્રને સતત વિકસાવતા રહેવાનું છે. ગુણસમૃદ્ધિ દ્વારા આપણી પાત્રતા વિકસાવીએ અને પરમના કપા-રસથી આપણા જીવનના પાત્રને છલોછલ છલકાવીએ. પરમનું તો આપણને આમંત્રણ છે જ. પરમ અને પાત્રતાનો મેળ થશે તો, પાત્ર ભરપૂર ભરાઈ જશે.
ચિંતન : ૨૧
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only