________________
મંગલાચરણુ
જે મામુલી આવક થતી તેમાંથી પણ રોજ એક સહુધમી બને જમાડતો. એક દિવસે પોતાને ઉપવાસ હોય, ખીજે દિવસે તેની સહધમ ચારિણીને ઉપવાસ હોય, પણ અતિથિ સત્કાર તો હર તુંમેશ. કોઇએ સાચું જ કહ્યું કે વિલાસના માગે. ખચેલા પૈસા પથ્થરનુ ઘંટીનું પડ બની ગળે વળગે છે, જ્યારે પરોપકાર અર્થે ખર્ચ લ દ્રવ્ય માનવીને દેવદૂત જેવી પાંખો આપે છે. આપણે ત્યાં જે શ્રાવકના માર વ્રતોની યોજના છે, તેમાં ખારમું વ્રત પણ સ ંવિભાગ વ્રત જ છે. કદાગ્રહથી દૂર રહી ગુણુના પક્ષપાતી થવુ' એ ઓગણીસમો ગુણ છે. અનેકાન્તવાદમાં માનવાવાળો માણસ કદાપિ કદાગ્રહી કે હઠાગ્રહી ન જ થઈ શકે. પ્રતિસિદ્ધ દેશકાલ ચર્ચાનો પરિહાર કરવાપૂર્ણાંક ખલાખલના જાણકાર બનવું એ વીસમો ગુણ છે. તે પછી અન્ય ગુણોપર વિવેચન કરી મહારાજશ્રીએ ‘લજ્જા યુક્ત અને દયાળુ’ એ ગુણપર વિવેચન કર્યું` છે.
૨૧
આ ત્રીસમો ગુણુ વમાન જગતના લોકો માટે બહુ ઉપયોગી અને સમજવા જેવો છે. લજ્જાને ગુણ સમુહને જન્મ આપનારી જનેતાની ઉપમા મહારાજશ્રીએ આપેલ છે તે યથાર્થ છે. જેનામાં લજજા, શરમ નથી એવા માણસ અને પશુમાં વધુ તફાવત નથી. એક દૃષ્ટિએ તો આવો માણસ પશુ કરતાં પણ બદતર છે. પશુમાં વિવેક કે વિચાર શક્તિ નથી એટલે તે ગમે તેમ વર્તે તે સમજી શકાય, પણ માણસમાં તો આ શકિત છે અને છતાં તે બેશરમપૂર્વક વર્તે તો તે માણુસના રૂપમાં માત્ર હેવાન જ છે.
દમયંતીના સ્વયંવરમાં તેના અલૌકિક રૂપની પ્રશંસા સાંભળી તેને વરવા માટે ઇંદ્ર, અગ્નિ, વરૂણ અને યમ ચારે દેવ પધાર્યાં હતા દમય’તી નળને જ વરવાની છે તેની જાણ થતાં ચારે દેવો આબેહૂબ નળરાજાનું સ્વરૂપ લઈ નળની સાથે જ ઊભા રહ્યા. વરમાળા લઈ દમયંતી ત્યાં આવી ત્યારે એકને બદલે પાંચ નળોને ઊભેલા જોઈ તે સ્તબ્ધ બની ગઈ. એ ચતુર સ્ત્રી તરત જ ચૈતી ગઈ કે આ બધી.