________________
ત્રણ શુદ્ધિ
(૧) ભક્તિ. (૨) હદયને પ્રેમ. (૩) ગુણની રતુતિ. (૪) હેલનાને ત્યાગ અને (૫) આશાતનાને ત્યાગ કરે તે.
સમકિતને નિર્મળ કરે તે શુદ્ધિ કહીએ. તે ત્રણ પ્રકારે છે. ૧ મનશુદ્ધિ, ૨ વચનશુદ્ધિ અને ૩ કાયશુદ્ધિ.
૧ લી મનશુદ્ધિ-શ્રી વીતરાગ ભગવતે કહેલ તવ તે જ સત્ય છે, બીજું જુદું છે એવી બુદ્ધિ તે મનશુદ્ધિ.
ર જી વચનશુદિ–વીતરાગદેવની ભક્તિ કરવાથી જે કામ ન થાય તે બીજા દેવેની ભક્તિ કરવાથી શી રીતે થાય? એમ બેલિવું તે વચનશુદ્ધિ.
૩ જી કાયશુદ્ધિ: શ્રી વીતરાગ સિવાય અન્ય દેવને કાયાથી ન નમે.
પાંચ દૂષણે સમ્યફમાં અતિચાર આદિ દો જેનાથી લાગે તે દૂષણ પાંચ છે. (૧) શંકા, (૨) આકાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) મિશ્યામતિ ગુણવર્ણન અને (૫) મિથ્યામતિ પરિચય.
૧ જૈનધર્મમાં અવિશ્વાસ તે શંકા. ૨ બીજા ધર્મોની ઈચ્છા તે આકાંક્ષા. ૩ ધર્મમાં ફળને અવિશ્વાસ તે વિચિકિત્સા
૪ મિથ્યાદશનીઓના ગુણેના વખાણ તે મિશ્યામતિ ગુણ વર્ણના