________________
૧૩૮ શ્રી જિનેનાગમ-વિવિધ વિષયરૂપ-ગુણસંપ્રહ રાજય અવસ્થા. (૩) કેશરહિત મસ્તક અને મુખ જોઈને શમણ અવસ્થા ભાવવી કે ધન્ય હે પ્રભુના ત્યાગી જીવનને!
૬ દિશિાનિરીક્ષણવજનત્રિક–પ્રભુના દર્શન-પૂજનચૈત્યવંદન આદિ કરતાં પિતાની દષ્ટિ પ્રભુની સન્મુખ રાખવી. (૧) પાછળ (૨) જમણી બાજુ અને (૩) ડાબી બાજુ નજર ન કરે તે ત્રણ દિશા તરફ જવાના ત્યાગ કરવારૂપ ત્રિક છે.
૭ પ્રમાજનાત્રિક–પગની નીચેની ભૂમિને ત્રણ વખત પ્રમાજવી તે.
૮ આલંબનવિક–(૧) ચૈત્યવંદન કરતાં સૂત્રનાં અક્ષને વિચાર કરે તે વર્ણાલંબન, (૨) સૂત્રના અર્થને વિચાર કરે તે અર્થાલંબન, અને (૩) જિનપ્રતિમા તરફ જ ધ્યાન રાખવું તે પ્રતિમાલંબન,
૯ સુકાત્રિક–મુદ્રા એટલે હાથ-પગની આકૃતિ. તે ત્રણ ભેટે છે. ૧ યોગમુદ્રા, ૨ જિનમુદ્રા અને ૩ મુક્તાશુક્તિ મુદ્રા.
(૧) ગમુદ્રા એટલે બે હાથને કમળના ડેડાને આકારે જોડી કપાળે જોડવા તે. આ મુદ્રાથી ચૈત્યવંદન, સ્તવન આદિ કહેવા.
(૨) જિનમુદ્રા–કાયેત્સર્ગ કરતી વખતે બે પગ વચ્ચેનું આગળના ભાગમાં ચાર અંગુલનું અંતર રાખવું તે.
(૩) સુકતાથુકિતમુદ્રા બે હાથ છીપની જેમ જોડીને પિલા રાખવા તે. આ મુદ્રા વડે જાવંતિ ચેઈઆઈ, જાવંત કેવિ સાહૂ અને જયવીયરાય સૂત્ર બેલાય છે.