________________
૩૦૪
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ
કાતા–ઠક બહેન, બહુ જ સારૂં. આવા મોટા દિવસમાં બીચારા ગરીબોને તમે ઘણી જ સારી રીતે સહાય કરીને ધર્મમાં જેડે છે એ પણ મહાન ધર્મ જ છે, પણ આમાં કોઈ આપણું નામ થોડું જ આવે? એ તે ખાનગી ને? - પ્રેમીલાબેન નામનાની શી જરૂર છે? પ્રશંસાની શી જરૂર છે? આપણે તે લાભ લેવાને છે ને?
કાન્તા–ઠીક બેન, એ પણ પાઠ શીખી. પણ આ તમારૂ ઘર જોતાં મને તે આશ્ચર્ય થાય છે. મને તે એમ જ થતું હતું કે સરલાબહેન આટલા શ્રીમંત છે માટે એને ઘરે તે બહું જ ભપકો હશે અને હું તે અહીંયાં આવતા પણ શરમાતી હતી કે આવા શ્રીમંતને ઘરે કેમ જવું? પણ અહીં તે મારી ધારણા પ્રમાણે કંઈ જ નથી. બીલકુલ સાદું જ ઘર છે કાંઈ મોટા મોટા ફરનીચર પણ નથી, ફક્ત જરૂર પુરતું જ છે.
સરલા અમને એ ખેટ ખરચે કરીને ભપકા પસંદજ નથી. જરૂર પુરતું જ બસ છે અમે તે પરિગ્રહનું પચ્ચફખાણ કરેલ છે. અમુક પૈસા ઉપર થાય તે શુભ કામમાં વાપરી નાખવા.
કાતા–આ પ્રેમીલાબેન આવ્યા. પધારે પ્રેમીલાબહેન ! તમારા વિના આનંદમાં ખામી હતી.
પ્રેમીલા–અહે આજે કાન્તાબહેન! નવાઈની વાત છે.
કાન્તા–હા બહેન, મને તે આપણે કાલ જે ધમની અને વ્યવહારની ચર્ચા કરી તે બહુ જ ગમી ને આજે જલ્દી જલ્દી આવી.