________________
વંદનહાર
૧૪.
-
-
ત્રણ ભુવનના સ્થાપનાજિનને વંદન કરવારૂપ બે અધિકાર, પુખરવરદીમાં અઢી દ્વીપમાં વિચરતા જિનેને વંદન કરવારૂપ તથા શ્રુતજ્ઞાનને વંદન કરવારૂપ બે અધિકાર, સિદ્ધાણં બુદ્ધાÍમાં પાંચ અધિકાર છે, તે આ પ્રમાણે-૧ સર્વસિદ્ધોને, ૨ શાસનનાયક શ્રી વીરપ્રભુને, ૩ ગિરનાર તીર્થપતિ શ્રી નેમિનાથને, ૪ અષ્ટાપદ પર્વત ઉપર બીરાજમાન ચોવીશ જિનેને નમસ્કાર અને સ્તુતિ કરવારૂપ તથા ૫ સભ્યદષ્ટિ દેને સ્મરણ કરવારૂપ એમ પાંચ છે. એ પ્રમાણે સર્વે મળીને બાર અધિકાર છે.
૧૩ વંદન દ્વાર કોને કેને વંદન થાય તે વંદન દ્વાર. અરિહંત ભગવતે સિદ્ધ ભગવતે અને મુનિ ભગવતે વંદન કરવા ગ્ય છે. તથા શ્રુત-સિદ્ધાંત વંદન કરવા યોગ્ય છે.
૧૪ સ્મરણ દ્વાર શાસનમાં જે સમકિતદષ્ટિ દેવ-દેવી છે, તે મરણ કરવા યોગ્ય છે.
૧૫ ચાર પ્રકારના જિન ૧ તીર્થકરનું નામ તે નામજિન, ૨ પ્રતિમા પગલા વગેરેની સ્થાપના તે સ્થાપના જિન, ૩ જે જિનેશ્વરે થઈ ગયા અને કેવલજ્ઞાન પામીને થશે તેઓના જીવે તે દ્રવ્ય જિન અને જ સમવસરણમાં બીરાજમાન તીર્થકરે તે ભાવજિન છે,