________________
गुरुतत्त्वसिद्धिः
હવે ગ્રંથકારશ્રી સાધુ કોને કહેવાય અને તેઓ ક્યાં સુધી રહે ? એ બધી વાતો જણાવે છે – * પાંચ પ્રકારના નિગ્રંથો *
શાસ્ત્રમાં પાંચ પ્રકારે નિગ્રંથો કહ્યાં છે : (૧) પુલાક, (૨) બકુશ, (૩) કુશીલ, (૪) નિગ્રંથ, અને (૫) સ્નાતક..
(૧) અસાર ધાન્ય સરખું જેનું ચારિત્ર હોય તેને પુલાક ચારિત્રી કહેવાય.. (૨) અતિચારથી કલંકિત હોય. તેને બકુશ ચારિત્રી કહેવાય.
(૩) જેનું શીલ-ચારિત્ર કુત્સિત હોય તેને કુશીલ ચારિત્રી કહેવાય.
(૪) મોહરૂપ ગ્રંથ (=ગાંઠ) જેમાં ન હોય તેને નિગ્રંથ ચારિત્રી કહેવાય..
२६
(૫) ઘાતીકર્મરૂપી મળથી રહિત જે હોય તેને સ્નાતક ચારિત્રી કહેવાય છે.
આ પાંચમાંથી બકુશ અને કુશીલો જ્યાં સુધી તીર્થ પ્રવર્તે ત્યાં સુધી હોય છે. હવે પ્રસ્તુતમાં બકુશ અને કુશીલોની વાત ચાલતી હોવાથી તેમનું સ્વરૂપ શું ? તેમના કેટલા ભેદો હોય ? એ બધું જણાવવા ગ્રંથકારશ્રી કહે છે.
—
ભગવતીસૂત્રના ૨૫મા શતકના છઠ્ઠા ઉદ્દેશાની અર્થસંગ્રહણીમાં પૂજ્ય આ. અભયદેવસૂરિ મહારાજે પંચનિગ્રંથી નામનું પ્રકરણ રચ્યું છે. તેને અનુસરી ગ્રંથકારશ્રી બકુશ-કુશીલોનું વિસ્તારથી સ્વરૂપ જણાવે છે –
30
“बेउसं सबलं कब्बुरमेगट्टं तमिह जस्स चारित्तं । अइयारपंकभावा सोबउसो होइ निग्गंथो || १ ॥ उवगरणसरीरेसुं स दुहा दुविहो होइ पंचविहो । आभोग अणाभोगे अस्संवुडसंवुडे हुमे ।।२।।
0
१. बकुशं शबलं कर्बुरमिति एकार्थं एकाभिधेयं तदिति तादृशं यस्य चारित्रमतिचारपङ्कसद्भावात् । स बकुशो भवति निर्ग्रन्थः ।। १ ।।
२. स बकुश उपकरण - शरीरभेदाद्द्वेधा । तत्र वस्त्रपात्राद्युपकरणविभूषानुवर्त्तनशीलः उपकरणबकुशः । करचरणनखमुखादिदेहावयवविभूषानुवर्त्तनशीलः शरीरबकुशः । स द्विविधोऽपि पञ्चधा । तद्यथा - साधूनामकृत्यमेतदिति जानन् कुर्वन्नाभोगबकुशः १ । अजानन् कुर्वन्ननाभोगबकुशः २ । मूलगुणैरुत्तरगुणैश्च संवृतः कुर्वन् संवृतबकुशः ३ । असंवृतः कुर्वन्नसंवृतबकुशः ४ । नेत्रनासिकामुखादिमलापनयनं कुर्वन् सूक्ष्मो भवति ५ ।। २ ।।
આવશ્યક છે. અને એ કારણે જ મુક્તિઅદ્વેષને ધર્મનો પહેલો પાયો કહ્યો છે.
* હવે ગ્રંથકારશ્રી પંચનિગ્રંથી પકરણની ૧૭ ગાથાઓ દ્વારા વિસ્તારથી બકુશ-કુશીલોનું સ્વરૂપ બતાવશે અને પછી પ્રસ્તુતમાં તેના પરથી શું ફલિત કરવું છે ? તે વાત આગળ જણાવશે.