Book Title: Gurutattva Siddhi
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 158
________________ गुर्जरविवेचनसमन्विता જે ઉચિત અને કલ્યાણકારી જણાયું, તે તેમણે આચરણા તરીકે પ્રવર્તાવ્યું.) અને એટલે જ તે બે જુદી સામાચારીઓમાં કોઈ વિરોધ નથી (બંને છેવટે તે તે જીવો માટે કલ્યાણકારી હોઈ અવિરુદ્ધ છે.) અને તેમાં વિરોધ ન હોવાનું કારણ એ જ કે, તે તે સામાચારીઓ આચરિતના લક્ષણથી યુક્ત છે, અર્થાત્ તેઓ આચિરતરૂપે છે. १३५ ‘આચરિત’ કોને કહેવાય ? તેનું લક્ષણ બતાવે છે – “અશઠ (=રાગ-દ્વેષથી રહિત) પ્રામાણિક એવા કોઈ ગીતાર્થે કોઈ તેવા પુષ્ટ કારણે સ્વભાવથી અસાવદ્ય (=પાપથી રહિત) એવું જે કંઇ આચરણ કર્યું હોય અને યોગ્ય હોવાથી જ તેનો બીજા ગીતાર્થોએ નિષેધ ન કર્યો હોય (એથી જ ઘણાને અનુમત હોય) તેને ‘આચરણા’ કહેવાય. આ આચરણા ઘણાઓને સંમત હોય છે.’’ (બૃહત્કલ્પ શ્લોક-૪૪૯૯) (આગમઅષ્ટોત્તરી-૨૦, પંચવસ્તુક-૪૭૬, ગાથાસહસ્રી-૨૪૦, ઉપદેશપદ-૮૧૪, સ્વપ્નસપ્તતિકા-૭, વિચારસાર-૮૯૫) આવું આરિતનું લક્ષણ બંને સામાચારીઓમાં ઘટતું હોવાથી, તે તે જીવો માટે આ સામાચારી પ્રામાણિક અને અવિરુદ્ધ છે.. (એટલે તે વિશે વ્યામોહ કરવો નહીં..) હવે મતભેદ હોય, ત્યાં શું કરવું ? તે જણાવે છે – -00 - W तथा मतं समाने एवागमे आचार्याणामभिप्रायविशेषः । तत्र सिद्धसेनदिवाकरो मन्यते युगपत्केवलिनो ज्ञानं दर्शनं च, अन्यथा तदावरणक्षयनिरर्थकता स्यात् । जिनभद्रगणिक्षमाश्रमणस्तु भिन्नसमये ज्ञानदर्शने, जीवस्वरूपत्वाद्यथा तदावरणक्षयोपशमे समानेऽपि क्रमेणैव मतिश्रुतोपयोगी, न चैकतरोपयोगे इतरक्षयोपशमाभावः । तत्क्षयोपशमस्योत्कृष्टतः षट्षष्टिसागरोपमप्रमाणत्वात् । अतः किं तत्त्वं ? अत्र समाधिः यदेव मतमागमानुपाति तदेव सत्यमिति मन्तव्यमितरत्पुनरुपेक्षणीयम् । अथ अबहुश्रुतेन नैतदवसातुं शक्यते, तदेवं भावनीयम् - आचार्याणां संप्रदायादिदोषादयं भेदो मतः, जिनानां तु मतमेकमेवाविरुद्धं च रागादिरहितत्वात् । आह १ “अणुवकयपराणुग्गहपरायणा जं जिणा । जिअरागदोसमोहा य नण्णहा वाइणो तेण । । १ । । " इति । ૨. પૂર્વમુદ્રિત ‘યથા બહુશ્રુતેન' કૃતિ અશુદ્ધપાઠઃ । * પાંચ વ્યવહાર છે : (૧) આગમવ્યવહાર, (૨) શ્રુતવ્યવહાર, (૩) આશાવ્યવહાર, (૪) ધારણાવ્યવહાર, અને (૫) જીતવ્યવહાર - આ પાંચે વ્યવહારો પ્રમાણ મનાય છે.. સામાચારી પણ ‘જીતવ્યવહાર=આચરિત’રૂપ હોઈ પ્રામાણિક માનવી જોઈએ અને તેથી જ તે પ્રામાણિક સામાચારીઓમાં કોઈ વિરોધ ન હોય - એવું ફલિત થયું..

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260