________________
गुरुतत्त्वसिद्धिः
(આ બધી વાતો હમણાં જ આગળ સ્પષ્ટ થશે..)
શ્રી ચૈત્યવંદનકુલક નામના ગ્રંથમાં આ જ વાતના પ્રસંગે લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ કોને કહેવાય ? તેનું સ્વરૂપ બતાવ્યું છે –
જ
१००
यदुक्तं चैत्यवन्दनकुलके तदधिकारे
जे लोगुत्तरलिंगालिंगि अदेहावि पुप्फतंबोलं ।
आहाकम्मं सव्वं जलं फलं चेव सच्चित्तं ॥ १ ॥
(मिथ्यात्वस्थानविवरणकुलक गाथा - ३१, चैत्यवंदनकुलक गाथा-२२)
भुंजति थीपसगं ववहारं गंथसंग्रहं भूसं । एगागित्तब्भमणं, सच्छंदं चिट्ठिअं वयणं ।।२।।
(मिथ्यात्वस्थानविवरणकुलक गाथा- ३२, चैत्यवंदनकुलक गाथा- २३)
चेइअमठाइवासं वसहीसु वि निच्चमेव संठाणं ।
गेअं निअचरणाणं अच्चावणं कणयकुसुमेहिं | | ३ ॥
(मिथ्यात्वस्थानविवरणकुलक गाथा - ३३, चैत्यवंदनकुलक गाथा - २४) - ગુરુગુણરશ્મિ --
ભાવાર્થ + વિવેચન :- (૧) જે જીવો લોકોત્તર લિંગવાળા (=રજોહરણ, મુખવસ્ત્રિકા વગેરેને ધારણ કરનારા) છે અને જેઓ અલિંગી (=રજોહરણાદિ સાધુવેષ ન રાખનારા) છે.. તે બંને પ્રકારના સાધુઓ જો નીચે પ્રમાણે કહેલા દોષો સેવે, તો તેઓ નામમાત્ર જ સાધુ રહે..
તે દોષો જણાવે છે –
* પુષ્પોની માળા વગેરે પહેરનારા..
* તાંબૂલભક્ષણ કરનારા, મુખવાસ વાપરનારા..
* સચિત્ત પાણી, પોતા માટે બનાવેલા આહાર-પાણી વગેરે લેવા દ્વારા આધાકર્મ દોષનું સેવન કરનારા.. સચિત્ત ફળ વગેરે બધી સચિત્ત વસ્તુઓને વાપરનારા.. (ચૈત્યવંદનકુલક-શ્લોક-૨૨, મિથ્યાત્વ-સ્થાનવિવરણકુલક શ્લોક-૩૧)
(૨) * સ્ત્રીની સાથે વાર્તાલાપ, હસી-મજાક, સંગ વગેરે કરનારા..
* પૈસાના આદાન-પ્રદાન વગેરે ગૃહસ્થોના જેવા વ્યાપાર-ધંધા કરનારા..
અને તો શાસન-ઉચ્છેદ થાય ! એટલે દેશપાર્શ્વસ્થરૂપ બકુશ-કુશીલ નિગ્રંથોને વંદનીય સાબિત કરવા માટે જ, દેશપાર્શ્વસ્થોના વંદનીયપણાની સાબિતી કરાઈ રહી છે.. (અને સર્વપાર્શ્વસ્થો માત્ર તે તે આગાઢ અવસ્થામાં જ વંદનીય છે.)
* બીજી ગાથામાં રહેલા ‘મુંદ્ગતિ’ પદનો અહીં અન્વય કરવો..