________________
આત્મબોધ નથી જ. છતાં પણ મળે તો ક્ષણભર ઠીક રહે પછી એવું ને એવું. હવે ખરેખરી શાન્તિ જો ક્યાંય હોય તો કેવળ મોક્ષમાં જ છે. તો મોક્ષ મેળવવા માટે આશ્રવત્યાગ, સંવરસ્વીકાર આવશ્યક છે. તે સર્વ સંવરવર્ધક અનુષ્ઠાનો ક્યાં થાય ? તો એક જ જવાબ છે કે માનવભવ સિવાય બીજે ક્યાંય નહિ. તો એવા ઉપરોક્ત દશ દૃષ્ટાન્ત દુર્લભ, સકલ સુખની ચાવીરૂપ, મનુષ્યભવ આપણને પૂર્વના કોઈ જબ્બર પુણ્યોદયે પ્રાપ્ત થયો છે. તો તેવા મનુષ્યજન્મને મેળવીને કર્તા કહે છે કે ધીરજને ધારણ કરી આત્માને હિતકર એવા રસાયનનું પાન સતત કરો ને આરોગ્ય-પુષ્ટિ પ્રાપ્ત કરો. ૨.