________________
અહિંસા વ્રત
૧૧૫ રૂપવાળા યુવાનને જોયો. તેની પાસે પોતાના પિતાની મુદ્રાવાળો લેખ જોયો. ચાલાકીથી ધીરે રહીને તે લેખ લઈ લીધો ને વાંચવા લાગી. તેમાં લખ્યું હતું કે “આવનાર ભાઈને કાંઈપણ વિચાર્યા વગર જેમ બને તેમ જલ્દી વિષ આપી દેજો. હું કુશળ છું.” આ વાંચીને થંકથી આંખના કાજળ વડે વિષ હતું ત્યાં કાનો વધારી દીધો અને લેખ જ્યાં હતો ત્યાં હળવેથી હતો તેમ મૂકી દીધો ને પોતાને ઘેર ગઈ. દામન્નક પણ ઊઠીને સાગરને ઘરે ગયો ને તેના પુત્રને લેખ આપ્યો. સાગરના પુત્ર સમુદ્રદત્તે લેખ વાંચ્યો ને જોષીઓને બોલાવ્યા ને વિષાના લગ્ન માટે મુહૂર્ત પૂછવું. ટીપણું જોઈ જોષીઓએ કહ્યું કે, “આજ સાંજનું સારામાં સારું મુહૂર્ત છે પછી આખા વર્ષમાં આવું મુહૂર્ત નથી આવતું.” આનંદિત થયેલા સમુદ્રદત્તે ખૂબ ઉમંગથી દામન્નક અને વિષાના વિવાહ કર્યા.
આ બાજુ સાગર શેઠ ગોકુળથી પાછા વળ્યા ત્યારે રસ્તામાં સાંભળ્યું કે તમારી પુત્રીનો વિવાહ મહોત્સવ ખૂબ જ સુન્દર થયો. સાંભળીને સાગરને ખૂબ ખેદ થયો. મનમાં વિચાર્યું બીજું ને વિધિએ કર્યું બીજું. જમને ત્યાં મોકલવાનો હતો તે જમાઈ બની ગયો. પુણ્ય પાંસરું હોય ત્યાં અવળું પણ સવળું થાય છે. હજુ પણ ખગિલને કહીને તેનો વધ કરાવું. ભલે મારી પુત્રી દુઃખી થાય. સ્વાર્થ અને દ્વેષ શું શું પાપાચરણ નથી કરાવતા ! સાગર ખડુગિલને ત્યાં ગયો ને ક્રોધના આવેશથી કહેવા લાગ્યો કે તે પેલાને કેમ ન માર્યો, તું મને ઠગી ગયો. ખડુગિલે કહ્યું કે, “ક્યાં છે તે મને બતાવો. અત્યારે પણ તેનો વધ કરી તમારી ઈચ્છા પૂરી કરું.” શેઠે તેને મારવાનો સંકેત ને સ્થળ જણાવ્યું. શેઠ ઘરે આવીને નવાં વરવધૂને કહેવા લાગ્યો કે હજુ સુધી તમે માતાના મંદિરે દર્શન કરવા નથી ગયાં. જેના રૂડા પ્રતાપે તમારો વિવાહ થયો છે. લો આ પૂજાની પોટલી ને