________________
સત્યવ્રત
૧૨૩
પાપી સંકલ્પ પણ તુરત ફળે છે તો પાપનું આચરણ ફળે તેમાં શું નવાઈ. આચાર્ય મહારાજ શ્રી કાલકસૂરિજી મહારાજ વિશુદ્ધ ચારિત્ર પાળીને સ્વર્ગે ગયા. સત્યનો જયજયકાર બોલાવ્યો.
ખરેખર શાસ્ત્રમાં કહ્યું છે કે – सच्चं जसस्स मूलं सच्चं विसासकारणं परमं । सच्चं सग्गद्दारं सच्वं सिद्धिइ सोपानं ॥
સત્ય એ કીર્તિનું મૂળ કારણ છે. સત્ય વચનથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. સત્ય એ સ્વર્ગનું દ્વાર છે ને યાવત્ સત્ય સિદ્ધિમહેલનું સોપાન છે. માટે સત્યના આગ્રહી બનવું. અસત્ય બોલનારને કદી પણ ઉત્તમ લાભ મળતો નથી. એક શેઠનો પુત્ર બધાં દૂષણોથી ઘેરાઈ ગયો હતો. એકદા તે તેના મિત્રો સાથે એક જ્ઞાની મુનિ પાસે જઈ ચડ્યો. મુનિરાજે તેને યોગ્ય ઉપદેશ આપ્યો. જાણે પોતાને તે ઉપદેશ બરાબર લાગી ગયો હોય તેમ તેણે મુનિરાજ પાસે બધાં વ્યસનો નહિ સેવવા વગેરે બાધાઓ લીધી. ફક્ત વિનંતિ કરીને કહ્યું કે- “હું એક અસત્ય નહિ બોલવાની બાધા લઈ શક્તો નથી.” મુનિરાજે બાધા આપી ને તે નીચે ઊતર્યો. ભાઈ તો હતા એવા ને એવા. ફરી જયારે મુનિરાજ પાસે તે ગયો ત્યારે તેને પૂજ્યશ્રીએ કહ્યું કે- “તે બાધાઓ લીધી હતી તે કેમ પાળી નહિં?” તે છોકરાએ કહ્યું કે “મેં બાધાઓ લીધી જ નથી.” મુનિએ કહ્યું કે- “જૂઠું બોલે છે.” ત્યારે તેણે કહ્યું કે- “મારે અસત્ય બોલવાની બાધા નથી.” આવું અસત્ય છે, માટે તેની છાયા પણ પડવા દેવી નહિં. ૨૨.