Book Title: Aatmbodh
Author(s): Dhurandharsuri, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 151
________________ ૧૪૨ આત્મબોધ થવા લાગી. ધન ચાલ્યું જશે, યાચક વર્ગ મારે આંગણેથી ખાલી હાથે પાછો જશે. કોઈપણ માનવીને ધન જાય એ સારું ન લાગે એ સ્વાભાવિક છે. પતિને આમ ચિંતિત મનવાળા જોઈને શૃંગારમંજરીએ પૂછ્યું કે “પતિદેવ! આપ આટલા ઉદ્વિગ્ન ને ચિંતિત કેમ છો !” વિદ્યાપતિએ ગત રાત્રિએ આવેલા સ્વપ્રની વાત કહી ને તે કારણે ચિંતા થાય છે એમ કહ્યું. શૃંગારમંજરીએ કહ્યું કે “સ્વામી ! આપ શા સારુ આવો ખેદ કરો છો. લક્ષ્મી ધર્મ વડે જ સ્થિર થાય છે. જેટલી લક્ષ્મી સુકૃતમાં વાપરીએ તેટલી જ લક્ષ્મીની સાર્થકતા. બાકી તો લક્ષ્મી સ્વભાવે જ ચંચળ ને ચપળ છે. તે કોઈની થઈ નથી ને થતી નથી. તેનાથી જેટલો લાભ લીધો તેટલો આપણો. અને જ્યાં સુધી પાંચમું પરિગ્રહ વિરમણ વ્રત ન લીધું હોય ત્યાં સુધી ત્રણે જગતની લક્ષ્મીના પરિગ્રહથી જે પાપ થાય છે તે અવિરતિ વડે લાગ્યા કરે છે.” આવા પત્નીના સુન્દર, બોધક ને પ્રેરક વચનથી વિદ્યાપતિએ પાંચમું પરિગ્રહ પરિમાણવ્રત સ્વીકાર કર્યું ને સઘળી લક્ષ્મીને સાત ક્ષેત્રમાં વાપરવા માંડી. આઠ દિવસ થયા ને સઘળુંયે ધન સુકૃતમાં વાપરી નાંખ્યું. રાત્રે સૂતી વખતે વિચાર આવ્યો, કે કાલે સવારે વાચકોને હું શું મોઢું બતાવીશ. આવા વિચારમાં તે સૂઈ ગયો. રાત્રે સ્વધામાં પોતાનું આખું ઘર લક્ષ્મીથી ભરેલું જોયું. સવારે ઘરમાં લક્ષ્મીને પ્રત્યક્ષ જોઈ. યાચકોને ખૂબ મોં માગ્યું દાન આપ્યું ને પોતે ચતુર્વિધ શ્રી સંઘ સાથે શ્રી સિદ્ધગિરિજીની યાત્રા કરવાનો સંકલ્પ કર્યો. નવમે દિવસે વિચાર કર્યો, કે આવતી કાલે દશમો દિવસ છે. તેથી લક્ષ્મીને જવું હોય તો ભલે સુખેથી જાય. આવા વિચારોમાં વિદ્યાપતિ નિદ્રાધીન થયા. સ્વરમાં લક્ષ્મીએ આવીને કહ્યું : કે “હું તારા પુણ્યથી વિશેષ વૃદ્ધિ પામીને તારા ઘરમાં સ્થિર થઈ છું.”

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162