Book Title: Aatmbodh
Author(s): Dhurandharsuri, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 134
________________ અચૌર્યવ્રત વિશદાર્થ : ૧૨૫ અદત્ત=નહીં આપેલું-તેનું-આદાન=ગ્રહણ તે અદત્તાદાન. તેનો ત્યાગ તે-અદત્તાદાન વિરમણ વ્રત, તેના પ્રકાર ચાર છે. સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત ને ગુરુ અદત્ત. એમ ચારે પ્રકારનું અદત્ત ન ગ્રહણ કરવું તે મહાવ્રત કહેવાય. રાજા દંડે ને લોક નિંદે એવી ચોરી ન કરવી તે અણુવ્રત. ચોરી કરવી એ તો સામાન્ય રીતે પણ માનવ જીવનનું દૂષણ છે. પારકી વસ્તુ ઉપર આપણો શો અધિકાર ? બીજા કોઈની કોઈપણ વસ્તુ તેને પૂછ્યા વગર કેમ લેવાય ! આપણી પણ વસ્તુ આપણને પૂછ્યા વગર કોઈ લે તો આપણને કેવું લાગે છે ? ચોરી એ બહુ બૂરી ચીજ છે. ચોરીથી આ ભવમાં વધ, બંધન વગેરે ને પરભવમાં દુર્ગતિ મળે છે. ચોરેલું ધન કદીયે ટકતું નથી. તેની લત લાગે તો છૂટવી ભારે પડે છે ને જે જીવનમાંથી ચોરીને દૂર કરે છે તેને કદી કોઈથી ડરવાનું રહેતું નથી. અત્રે પ્રાસંગિક અદત્તાદન વિરમણ મહાવ્રતના ચાર પ્રકારનું સ્વરૂપ સમજવા જેવું છે. ચાર પ્રકારના અદત્તમાં પહેલું સ્વામીઅદત્ત. પોતાના માલિકની વસ્તુને પૂછ્યા વગર, તેના આપ્યા વગર ગ્રહણ કરવી તે. સુવર્ણ-ધન-ધાન્ય વગેરે લોકમાં જેને ચોરી કહેવાય તે. જીવ-અદત્ત સચિત્ત-વનસ્પતિ-ફળ, ફૂલ, અનાજ વગેરે ગ્રહણ કરવું તે. કારણ કે વનસ્પતિમાં પણ જીવ છે. તે જીવને પૂછ્યા વગર કે તેના આપ્યા વગર તમે ગ્રહણ કરો એ જીવ-અદત્ત કહેવાય. નિર્ગન્ધ મુનિવરો અચિત્તનો જ ઉપયોગ કરે છે. જેમાંથી જીવ ચાલ્યો ગયો હોય તેવા પાસુક અન્ન પાન વગેરેને ગ્રહણ કરે છે. તેની પાછળ આ સૂક્ષ્મ હેતુ રહેલો છે. આર્યાવર્તનો બીજો કોઈ ધર્મ આટલો ઊંડો ને સૂક્ષ્મ નથી. તીર્થંકર પરમાત્માની આજ્ઞા

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162