________________
अपरिग्रहव्रतम्
(પૃથ્વી) सुवक्रगमनाऽस्थिराद्विषमचारदुर्दर्शनाद्, ग्रहान्ननु परिग्रहानवमराशिनित्यस्थितेः । सदा सुहितमानसो हतलसन्महालालसो, बिभेति न कदाचन, श्रुतजिनागमः सत्तमः ॥ २५॥
ભાવાર્થ - અપરિગ્રહવ્રત
સજ્જનપુરુષોમાં શ્રેષ્ઠ અને જેણે જિનેશ્વરોએ પ્રરૂપેલા આગમનું શ્રવણ કર્યું છે, જેનું મન સદા તૃપ્તિવાળું છે, જેણે મોટી લાલસાઓ દૂર કરી છે, હણી નાખી છે, તે વક્રગમનવાળા, અસ્થિર, વિષમચારી અને દુર્દર્શનવાળા અને કાયમ નવમી રાશિ ધનમાં રહેનારા પરિગ્રહ ગ્રહથી ભય પામતો નથી.
१. जसौ जसयला वसुग्रहयतिश्च पृथ्वी गुरुः ।