________________
૧૨૦
આત્મબોધ
લીધા અને જિતશત્રુ રાજાને રાજ્યપદથી ભ્રષ્ટ કરી પોતે રાજા થઈ ગયો. લોકો તેને ચાહતા નથી, સભ્યજનો વખોડે છે. છતાં સત્તાનાં સૂત્રો હાથમાં હોવાથી તે રાજય ચલાવે છે. | દત્ત હિસાપ્રિય હતો-બીજા જીવોને દુઃખ પડે, ત્રાસ પડે તે જોઈને તેને આનંદ આવતો. તેની હૃદયભેદી કિકિયારી સાંભળીને તેને સંગીતશ્રવણ જેવો આનંદ થતો. દત્તે કપટથી રાજ્ય લીધું હતું, તે સ્થિર કરવા માટે ધર્મ કરવાની તેને ભાવના જાગી. જેનું જેવું ઘડતર હોય તેવો જ ધર્મ તેને ગમે છે. અને તેવો ધર્મ કરાવનારા પણ તેને મળી આવે છે. દત્તને હિંસા તો ગમતી જ હતી. બ્રાહ્મણોએ તેને મોટા મોટા હિંસક યજ્ઞો કરાવવા જણાવ્યું. અશ્વમેધ અને નરમધ જેવા યજ્ઞો શરૂ થઈ ગયા. મહાહિંસાનું તાંડવ થવા લાગ્યું. હિંસાના એ નાચમાં અનેક મૂઢજીવો તાલ પુરાવવા લાગ્યા. પૂર્વના પુણ્ય સીધા પડતા પાસાને અજ્ઞાની જીવો પાપના પરિણામે પડે છે એમ સમજીને પાપમાં રચ્યાપચ્યા રહે છે. એનું નામ પાપનુબંધિ પુણ્ય. દત્તને પણ એવું જ થયું.
આ બાજુ સંયમધર્મ અને શ્રુત અભ્યાસમાં ખૂબ આગળ વધેલા ને આચાર્યપદ સુધી પહોંચેલા શ્રી કાલકસૂરિ મહારાજ અનુક્રમે વિહાર કરતા તુરમણિ નગરીએ પધાર્યા. પોતાના સંસારી મામા આવ્યા છે એમ જાણી દત્ત શ્રી કાલિકસૂરિ મહારાજ પાસે આવ્યો. કુશળ સમાચાર પૂછડ્યા પછી દત્ત આચાર્ય મહારાજ પાસે બેઠો. ધર્મની વાતો થઈ ને દત્તે પોતાની પ્રવૃત્તિ જણાવીને પૂછ્યું.
દત્ત - હું હાલમાં મોટો યજ્ઞ કરાવું છું તેનું ફળ શું ? આચાર્ય મહારાજ :- યજ્ઞમાં હિંસા થાય છે. હિંસા એ અધર્મ છે અને અધર્મનું ફળ દુર્ગતિ છે. હિંસક યજ્ઞનું ફળ નરક છે.