________________
૬૪
આત્મબોધ વિશદાર્થ:
તપ એટલે જ મંગળ. મંગળ એ તપનો પર્યાયવાચક શબ્દ છે. અરે ! કહોને ! કે તપ ને મંગળ એ એક સિક્કાની બે બાજુ છે. મંગળ તો તપથી જ મલવાનું. વિશ્વનાં સઘળાંયે વિદ્ગોને દૂર કરવા માટે તપ જેવું એક સમર્થ સાધન બીજું નથી. જીવનમાં ક્યારેય વિદ્ગ કે અમંગલ ઉપસ્થિત થયું કે તરત તપ કરો, પછી વિઘ્ન ઊભું રહે છે ખરું? તપથી કદીયે કોઈનું એ અહિત થયું કે થતું જ નથી. અમૃત અસુખ કે અહિત કરે તો જ તપ અહિત કરે. સમસ્ત વિશ્વમાં અનાદિકાળથી તપની પ્રતિષ્ઠા અનુપમ ને સવોચ્ચ રહી છે અને રહેશે જ.
તપ વગર આત્મકલ્યાણ, કર્મક્ષય અને છેવટે વાવત મોક્ષસુખ કોઈને ય મળ્યું નથી. મળતું નથી ને મળશે પણ નહિં. ખુદ ત્રિલોકના નાથ પરમાત્માને પણ સકળ કર્મથી મુક્ત થવા માટે તપની આરાધના કરવી જ પડે છે. આપણા આસન્નઉપકારી ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામીને પણ કર્મક્ષય માટે કેટલું તપ આચરવું પડ્યું હતું. ખબર છે ને ! સાડાબાર વર્ષ અખંડિત રીતે ઘોર તપ કર્યું ત્યારે જ સકલ કર્મના અંતથી કેવલજ્ઞાન પ્રગટ્યું હતું. કેવો અપ્રમત્તભાવ !
“સાડાબાર વરસ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઠાયા હો, ઘોર તપે કેવલ લહ્યા તેહના, પદ્મવિજય નમે પાયા.
તપસ્યા કરતા....” ચક્રવતિ જેવાઓને પણ કે જેઓની ઋદ્ધિ-સિદ્ધિ ને સુખસમૃદ્ધિ આ મનુષ્યલોકની દષ્ટિએ અજોડ ને અનુપમ હોય છે તેઓને પણ તપ એટલે અક્રમની આરાધના વગર ક્યાં પખંડસિદ્ધિ સાંપડે છે ! તે સાધવા માટે તો બાર-બાર અટ્ટમ કરવા પડે છે.