________________
આત્મબોધ
ઓસર્યા એટલે તેણે નદીની સામે પાર જઈને પરમાત્માનાં દર્શન ને પૂજન ખૂબ આનંદવિભોર થઈને કર્યાં. તેનું ચિત્ત તે પ્રતિમામાં તન્મય થઈ ગયું. તેની રોમરાજિ વિકસ્વર થઈ ગઈ. આત્માને અમૃત ક્રિયાનો આસ્વાદ આવ્યો.
૮૪
તદ્ભુત ચિત્ત ને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણોજી; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન,
લક્ષણ એ છે અમૃત ક્રિયા તણોજી. ૧-૭ (શ્રી રા. ખં.૪)
ભગવાનની સ્તુતિ કરતાં તે ગદ્દગદિત થઈ ગયો. તેના હૃદયમાં હર્ષ માતો ન હતો. આવું અત્યંત ભક્તિસભર તેનું હૈયું ને અપૂર્વ સત્ત્વ જોઈને પ્રસન્ન થયેલા કોઈ દેવે કહ્યું કે “હે ભદ્ર ! હું તારી પરમાત્મા પ્રત્યેની ભક્તિ જોઈને પ્રસન્ન થયો છું માટે તું વરદાન માગ.” દેવપાલે કહ્યું કે- “ત્રિલોકના નાથ પરમાત્મા મળ્યા પછી બીજું શું મારે માંગવાનું રહે.” દેવે કહ્યું કે- “કાંઈક તો માંગ.” ત્યારે દેવપાલે કહ્યું કે- “આ ગામનું રાજ્ય મને આપો.” ત્યારે દેવે કહ્યું કે- “આજથી સાતમે દિવસે તને અવશ્ય રાજ મળશે.” દેવ અદૃશ્ય થઈ ગયો. દેવપાલે પોતાના સ્થાને જઈ ભોજન કર્યું.
સાતમે દિવસે તે ગામનો રાજા અપુત્રીઓ મરણ પામ્યો. પ્રધાન વગેરેએ પંચદિવ્ય પ્રગટાવ્યા. દિવ્ય તો ફરતા ફરતા જ્યાં દેવપાલ ઢોર ચારતો હતો ત્યાં આવ્યા. હાથણીએ દેવપાલ ઉપર કળશ ઢોળ્યો. પ્રધાનોએ તેનો રાજ્યાભિષેક કરીને ગાદીએ બેસાડ્યો. હવે તો દેવપાલ રાજા બની ગયા. પહેલાં પોતે આ જ ગામમાં ઢોર ચરાવનાર નોકર હતો તેથી તેની આજ્ઞા કોઈ