________________
श्री जिनपूजा
(વસત્તતિન') लक्ष्मीः स्वयं-वरति तं सुभगं समुत्का, बुद्धिः परा स्फुरति तस्य समस्त कार्ये । कीर्तिः प्रसर्पति तरां शरदभ्र(ब्ज )शुभ्रा नित्यं जिनार्चनमनन्तफलं य ईष्टे ॥ १७॥
ભાવાર્થ - શ્રી જિનપૂજા
ત્રિલોકના નાથ પરમાત્માની જે નિત્યે પૂજા કરે છે, તે સૌભાગ્યશલીને લક્ષ્મી સ્વયં વરવા ઉત્સુક બનીને આવે છે. દરેક કાર્યોમાં તેની બુદ્ધિ ખૂબ સુંદર ચાલે છે અને શરઋતુના ચન્દ્રમા (વાદળ) જેવી ઉજ્જવળ કીર્તિ ચારે કોર પ્રસરે છે.
१. उक्ता वसन्ततिलका तभजा जगौ ग ।