________________
ભાવ
૭૯ ૧. મનોગુપ્તિ, ૨. ઈસમિતિ, ૩. એષણાસમિતિ, ૪. આદાનસમિતિ, અને ૫. દૃષ્ટાપાનગ્રહણસમિતિ- આ પાંચ ભાવનાથી પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત સ્થિર થાય છે.
૧. હાસ્ય રહિત, ૨. લોભ રહિત, ૩. ભય રહિત, ૪. ક્રોધ રહિત, ૫. ને વિચાર કરીને વચન બોલવાથી મૃષાવાદ વિરમણ મહાવ્રત સ્થિર થાય છે.
૧. આલોચ્ય અવગ્રહ, ૨. યાઆ અવગ્રહ, ૩. એતાવનાત્ર અવગ્રહ, ૪. સાધર્મિક અવગ્રહ, ૫. અનુજ્ઞાપિતાન્નપાનાશન એ પાંચ ભાવનાથી અદત્તાદાન વિરમણ મહાવ્રત સ્થિર થાય છે.
૧. સ્ત્રી, નપુંસક ને પશુ વિવર્જિત વસતિ, ૨.સરાગ સ્ત્રીકથાત્યાગ, ૩. પૂર્વની કામક્રીડા સ્મૃતિત્યાગ, ૪. સ્વાંગ સંસ્કારત્યાગ, ૫. અતિસ્નિગ્ધ પદાર્થોશનત્યાગ. આ પાંચ ભાવનાથી મૈથુન વિરમણ મહાવ્રત દઢ થાય છે.
૧. સ્પર્શ-રસ-ગન્ધ-રૂપ ને શબ્દ એ પાંચે ઈન્દ્રિયના અનુકૂળ વિષયોમાં આસક્તિત્યાગ ને આ વિષયો પ્રતિકૂળ મળે તો દ્વષત્યાગ-આ પાંચ ભાવનાથી પરિગ્રહ વિરમણ મહાવ્રત સ્થિર થાય છે. આમ સારા ભાવ કેળવીને ભવ્યતાના ભાજન બનનાર આત્મા ભવ તરી જાય છે.- ૧૬.