________________
ભાવ
કે નહિ ને વાંસનીટ જરાય બાર વંશ
ગયો ને મુકરર દિવસ અગાઉ બધા બેarટ નગરમાં આવી પહોંચ્યા. કસોટીના દિવસે ચાંદની ચોકમાં મોટું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો પ્રેક્ષકો એકઠા થયા હતા. પ્રમુખ સ્થાને મહારાજા વિરાજમાન થયા અને કાર્યક્રમ શરૂ થયો. નાનાં-મોટાં પરીક્ષણો પતી ગયા પછી નટવિદ્યાની ચરમસીમા સ્વરૂપ વંશ-નૃત્ય કરવાનો પ્રસંગ આવ્યો; ઈલાચી સિવાય બીજું કોઈ હતું નહિં. ગૂંથેલી જાળી અને વાંસની અટપટી રચના ઉપર નૃત્ય કરવું. તાલ તૂટે નહિ ને ખ્યાલ ચૂકે નહિ તો જ એ બને. સજ્જ થઈને ઈલાચીએ પગને સાબદા કર્યા અને નટકન્યાએ ઢોલક ઉપર કમલશા સુકોમલ કર વડે ટેકો માર્યો. બસ થઈ ગયું. દેવતાઓ પણ થંભી જાય એવું દશ્ય ખડું થઈ ગયું. લોકો અનિમેષ નયને ટગર ટગર જોઈ રહ્યા. પરીક્ષક રાજાને પણ લાગ્યું કે નૃત્યો તો ઘણાં નીરખ્યાં પણ આ તો કોઈ જુદું જ છે. રાજાની નજર નટકન્યા પર પડી. રસિક રાજાના મનમાં ભાવ જાગ્યો. ચંપાની ખીલેલી વેલ સમી નટકન્યા પ્રત્યે આકર્ષણ જનમ્યું. નૃત્ય કરતો નટ તેને વિજ્ઞરૂપ લાગ્યો. જરા પણ ચૂક વગર વંશનૃત્ય પૂરું થયું. લોકોએ તાળીના ગડગડાટ અને હર્ષનાદપૂર્વક નટને વધાવ્યો. પારિતોષિક માટે આવેલા ઈલાચીને રાજાએ કહ્યું કે- “મારું ધ્યાન ન હતું. ફરી ખેલ કરી બતાવો.” જીવના જોખમે ને શરીરના સખત શ્રમે ખેલાતો ખેલ ફરી શરૂ થયો ને એ જ પુનરાવર્તન. રાજાનો એ જ ઉત્તર. ત્રીજી વાર-ચોથી વાર. ઈલાચી એ કોઈ સાધારણ નથી. ખાનદાન કુળનો નબીરો છે. ચોથીવાર તો એના મનમાં આંદોલન શરૂ થઈ ગયું. એને થતું હતું કે આ જીવ સટોસટના ખેલ કોના માટે ! શું જીવનનું અંતિમ ધ્યેય આ જ છે. પ્રણયત્રિકોણમાં જીવ ફસાય છે ને ફના થાય છે. રાજા જેવો રાજા પણ ન્યાયાસનને બદલે માયાસન પર ચડી બેઠો છે. એ આ ત્રિકોણનો જ પ્રતાપ છે ને ! એમ ને એમ