________________
૭૪
આત્મબોધ જગતના જીવ માત્ર પાપ ન કરો, કોઈપણ જીવ ત્રાસભય-પરિતાપ કે દુઃખ ન પામો અને સઘળુંયે જગત આ દુ:ખથી મુક્ત થાઓ. એવી ભાવના મૈત્રી કહેવાય છે. તીર્થકર નામકર્મના મૂળમાં આ ભાવના મુખ્ય ભાગ ભજવે છે. ગુણવાનું પુરુષો કે જેઓના જીવનમાં પૂજય ને અનુકરણીય ગુણો હોય, એવા મહાપુરુષોના ગુણો સાંભળીને હૃદયમાં આનંદની ઊર્મિ આવે – હર્ષ થાય એ પ્રમોદ ભાવના છે. દીન હોય, પીડિત હોય, ધર્મ વિહોણા હોય એવા પ્રાણીઓ પ્રત્યે દયાની લાગણી થઈ આવે તે કારુણ્ય ભાવના છે અને દેવ-ગુરુ ને તારક જે ધર્મ તેની નિંદા કરનારા જીવોને સાચી વાત સમજાવવા છતાં ન સમજે ત્યારે તેના પ્રત્યે ઉપેક્ષા કરવી તે માધ્યશ્મ ભાવના છે. આ ચારે ભાવનાને નિત્ય ભાવવાથી જીવને ઘણો લાભ થાય છે.
ચક્રવર્તિ જેવા ચક્રવર્તિ. જે પખંડના અધિપતિ હતા એવા ભરત મહારાજા પણ આદર્શ ભવનમાં લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાનના ધણી બન્યા તે આ ભાવનાના જ પ્રતાપે ! અરે ! નાચતાં નાચતાં જેણે કેવળ એક નટડી માટે પ્રાણપ્યારાં માતાપિતા ને સ્વજનોને છેહ દઈને ગામોગામ ફરવાનું હસતે મુખે કબૂલ્યું હતું તે ઈલાચીપુત્ર પણ ભાવનાની સોપાનશ્રેણિ ઉપર ચઢીને જ કેવલજ્ઞાની બન્યા હતા તે વાતનો ખ્યાલ છે ને ! તે વૃત્તાન્ત આ પ્રમાણે છે.
વસત્તપુર નામનું નગર હતું. ત્યાં અગ્નિશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને પ્રીતિમતી નામની સ્ત્રી હતી. તે દંપતી
१.मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखतिः । मुध्यतां जगदप्येषा, मंतिमैत्री निगद्यते ॥