________________
માનત્યાગ
૧૭
મેળવવું હોય, વિદ્યાપ્રાપ્તિ કરવી હોય તો નમ્ર બનવું જરૂરી છે. વિનય વગર વિદ્યા મળતી નથી. પેલો સંગમ દેવ પહેલા દેવલોકમાં ઈન્દ્ર મહારાજ જેટલી જ ઋદ્ધિસિદ્ધિ ધરાવતો હતો. એને કોણે કહ્યું હતું કે “ઊઠ પાણા પગ ઉપર” કર. અભિમાનથી પ્રતિજ્ઞા કરી છ મહિના સુધી પરમાત્મા મહાવીર સ્વામીને ચળાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા. કાંઈ વળ્યું નહિ. છેવટે પરિણામ શું આવ્યું ! દેવલોકથી દૂર કરાયો. એ પેલા મેરુપર્વતની ચૂલિકા ઉપર પડ્યો છે. એવા અભિમાનને દૂર કરોદૂર કરો. ૫.