________________
લોભત્યાગ તરીકે આશા આવે છે તે ખૂબ સૂચક છે, જેવી રીતે આશા-દિશાનો અન્ત નથી આવતો તેવી રીતે આશા-તૃષ્ણાનો પણ... સમજ્યા ?
ભર્તુહરિએ આ આશા-તૃષ્ણાને વિનવીને કહ્યું છે કે હવે તો મારો છેડો છોડ, તે પહેલાં કહ્યું કે અહીંયાં નિધાન મળશે. અહીં ખનન કરશો તો અઢળક લક્ષ્મી પ્રાપ્ત થશે. એ પ્રમાણે તારા ઉપર વિશ્વાસ રાખી આખી યે પૃથ્વી ખોદી વળ્યો, પણ કાંઈ વળ્યું નહિ, ત્યારે તે કહ્યું, જો તારે સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ગિરિની પ્રકાશશત્રુ ગુફામાં જઈ ધાતુઓને ગાળ, સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત થશે.
ત્યાં પણ પ્રયત્ન કરવા છતાં સુવર્ણસિદ્ધિ મળી નહિં. એટલે તે કહ્યું કે, લક્ષ્મી તો સમુદ્ર પાર જવાથી મળે, લક્ષ્મીને સમુદ્રસંભવા કહી છે, પરદેશ ખેડવા છતાં લક્ષ્મી પ્રાપ્ત ન થઈ. ત્યારે તે સેવા કરવા સમજાવ્યું કે મેં રાજાઓને પણ પ્રયત્નપૂર્વક સંતોષ્યા, ને પરિણામ શૂન્ય આવ્યું. પછી તે કહ્યું મંત્ર-જાપથી યથેચ્છ લક્ષ્મી મળશે એટલે જીવનને જોખમમાં મૂકીને પણ ભયંકર રાત્રિઓ સ્મશાનમાં મ7 ગણવાપૂર્વક ગાળી પણ ફૂટી કોડીયે હાથ લાગી નહિ. માટે છે તૃષ્ણા ! હે આશા ! હવે તો મારો છેડો છોડ !
| (શાર્દૂલ) રાખી દ્રવ્યની આશ ખોદી પૃથિવી ગાળી ગિરિ-ધાતુઓ, સંતોષ્યા બહુ રાયને જતનથી ઓળંગિયા સિંધુઓ; ગાળી રાત્રિ સ્મશાનમાં દઢમને મત્રો તણા જાપમાં; તૃષ્ણા ! છોડ હવે મને નવ દીઠી- કોડી ફૂટી હાથમાં. ૧
(પદ્યાનુવાદ-નાથુરામ શર્મા) १. उत्खातं निधिशङ्कया क्षितितलं, ध्माता गिरेर्धातवो, निस्तीर्णः सरितां-पतिर्नपतयो यत्नेन संतोषिताः। मन्त्राराधनतत्परेण मनसा, नीता स्मशाने निशा, પ્રાત: પવરદિપિ ન મા તુજે ! –ડથુન મુ મામ્ II ( દરિ:)