________________
४७
શ્રવણેન્દ્રિયનિરોધ વિશદાર્થ:
શ્રવણેન્દ્રિયને પરવશ પડીને કેવું દુઃખ આવી પડે છે એ સમજવા જેવું છે. આમ તો સુંદર સાંભળવું મનને ગમે છે પણ તેના દ્વારા કેટલી હાનિ થાય છે તે તો સંગીલુબ્ધક હરણિયાને જોયો હોય અથવા તેનું વર્ણન વાંચ્યું હોય તો ખ્યાલ આવે. તેને મારવા માટે તેનો શિકાર કરવા માટે શિકારી-પારાધિ સુંદર સંગીતના સ્વરો છે! છે. તેનાથી આકર્ષાઈને દોડી દોડીને હરણીઆઓ આવે છે. હરણને સંગીત ખૂબ જ ગમે છે. સંગીત સાંભળવામાં તે એવો લીન થઈ જાય છે કે તેને કાંઈપણ ભાન રહેતું નથી. આ સંગીત અહીં કોણ છેડે છે ? શા માટે છેડે છે ? આ સાંભળવાથી મને લાભ શો છે? ગેરલાભ શો છે ? તે બિચારા ભોળા હરણને ખબર નથી, તેને તો મૃત્યુનો દૂત પણ સુખની વધામણી દેનારો લાગે છે. આખરે તે ત્યાંથી ખસતો નથી અને તે પારધીની જાળમાં ફસાય છે. કાળ જેવા તેના હાથમાં ફસાયા પછી શું બાકી રહે ? આ પ્રસંગને એક કવિએ પોતાની સહજ સુંદર શૈલીમાં વર્ણવ્યો છે. મૃગ જ્યારે આ સંગીતના સ્વર સાંભળીને તે તરફ દોડે છે ત્યારે કવિ તેને કહે છે :
(મન્દાક્રાન્તા) ભોળા એ તો નહિ પ્રણયથી પૂર્ણ સંગીત કાંઈ, વ્યાધો- કેરી અબુધ મૃગના મૃત્યુની એ ભવાઈ, નો એ વ્હાલા ! રસિક કવિતા મૃત્યુનો સાદ એ છે, એ શબ્દોના સ્વર સકળમાં ઝેર પૂર વહે છે.”
(-બોટાદકર) કેવા સુંદર શબ્દોમાં સંગીતલુબ્ધક હરિણને તે યથાર્થ સ્વરૂપ સમજાવે છે ! બસ આવું જ છે, વિલાસી વિકારી શબ્દોનું,