________________
દાનધર્મ
૫૫ નો'તુ કહ્યું કે મારા પિતાને ત્યાં જાવ તો ઘણું ધન આપશે ! ગુણસારે વાત સાંભળી. તેના તો માન્યામાં જ નથી આવતું. તે તો જાણતો હતો કે મેં પોતે નદીકિનારે પાંચીકા થેલીમાં ભર્યા છે. રંગીન પાંચીકા હશે એટલે તેને રત્ન માનતી હશે ! પણ
જ્યારે પોતે સાક્ષાત્ જયારે જોયા ત્યારે ખરેખર આશ્ચર્ય-ઉદધિમાં ગરકાવ થઈ ગયો, અને મનોમન માનવા લાગ્યો કે, જરૂર આ તે મહાન તપસ્વી મુનિમહારાજને જે સુપાત્રદાન દીધું હતું તેનો જ આ પ્રભાવ છે ! તે તો ન્યાલ થઈ ગયો. તેનું દારિદ્રય ફીટી ગયું. ખરેખર અચિજ્ય છે ને સુપાત્રદાનનો પ્રભાવ !
એટલે અવશ્ય દાનધર્મ તો કરવો જ રહ્યો, જો સુખની અભિલાષા હોય તો. ૧૩.