________________
આત્મબોધ વિશદાર્થ:
માન, અભિમાન સ્વમાન વગેરે સર્વ અમુક દષ્ટિએ માનનાં પર્યાયવાચક નામો છે. આપણે તો અભિમાનને જ માન માની બેઠા છીએ. સ્વમાન તો હોવું જ જોઈએ ? એવો દાવો કરીએ છીએ પણ સ્વમાન એ પણ માન છે અને તે પણ અભિમાનની જેમ જ ત્યાજ્ય છે. જ્ઞાનપ્રાપ્તિ માટે વિનીતભાવની અતિ આવશ્યકતા છે. માન ને વિનયને પરસ્પર શત્રુતા છે. “જો માનમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત.” એમ કોઈએ કહ્યું છે. તે પણ અમુક અપેક્ષાએ સત્ય લાગે છે.
સ્થૂલભદ્રજીમાં માન-અભિમાને પ્રવેશ ન કર્યો હોત તો કેટલું જ્ઞાન મેળવ્યું હોત, પણ માન-કાઠિયો આવવાથી શું પરિણામ આવ્યું ? રાવણના માનનું પરિણામ તો આપણ સૌને વિદિત જ છે, મહાભારતના મહાયુદ્ધના મૂળમાં આ જ માન હતું ને ? અરે આપણામાં પણ માનને બદલે સરળતા હોત તો કેટલો અપૂર્વ લાભ થાત ! દશાર્ણભદ્ર માન કર્યું પણ ઈન્દ્ર એ માનને પ્રશસ્ત બનાવી દોષને બદલે ગુણરૂપે પરિણમાવ્યું. પરલોકને તો માન બગાડે જ છે, પણ આલોકમાં પણ ઉદ્ધત મનુષ્યની કેવી દશા થાય છે ? પૂછી જુઓ નોકરને - જરા અભિમાન કરવા ગયો ને નોકરીમાંથી પાણીચું મળી ગયું. વેપારી પણ માનને પરવશ વેપાર ગુમાવી બેસે છે. સામે પક્ષે નમ્રતા, વિનય જીવને ખૂબ ખૂબ લાભ આપે છે. “નમે એ પ્રભુને ગમે.” આ વચન જીવનમાં ઉતારવા જેવું છે. કૂવામાંથી પાણી કાઢવું હોય તો ઘડાને નમવું પડે છે. એમ ને એમ અક્કડ રહે કાંઈ પાણી ભરાય નહિએ જ પ્રમાણે ગુરુ પાસેથી જ્ઞાન