________________
૧૪
આત્મબોધ
મીઠાં લાગે છે. પણ ક્રોધની કડવાશ બધું બગાડી મૂકે છે. વિરોધ વધી જાય છે. સંબંધો તૂટી જાય છે. જે સંબંધોની સુગન્ધ મહેકી ઊઠતી હતી ત્યાંથી જ ક્રોધને કારણે દુર્ગન્ધ ઊછળતી હોય છે. માટે ક્રોધને ખસેડો-હક્સેલીને દૂર કરો. નહિં તો સારા સ્થાનથી તમને એ ખસેડી મૂકશે. ક્રોધ નારક ગતિમાં સ્થાન જમાવી બેઠો છે. જો તેની દોસ્તી કરશો તો તે તમને તેના સ્થાનમાં લઈ જશે. ૪.