________________
માયાત્યાગ
૧૯
વિશદાર્થ :
માયામાં તે એવું શું દૂષણ છે કે એનાથી જીવનભર આચરેલ, આરાધલ, જ્ઞાન-તપ અને ધર્મ નિષ્ફળ બની જાય છે ? ઉપાધ્યાયજી તો આને બહુ કડક રીતે કહે છે કે હૃદયમાં માયા રાખી પોતે આચરેલા જીવનભરના તપ-ત્યાગના ફળની જે ઈચ્છા રાખે છે તે તો “તોદના સમાઈ, સોળે: પરં યિયાતિ ” સમજ્યા ! માયાનો મહિમા ! “સાધ્વી લખમણા તપ નવિ ફળીયું, દંભ ગયો નવિ મનનો ભવિયા ! તપપદને પૂજીજે” લક્ષ્મણા નામનાં સાધ્વી થઈ ગયાં. સંયમપરાયણ, તેમના જીવનમાં એક દિ' શલ્ય પ્રવેશ કર્યો. પક્ષીયુગલને દેખી મનમાં વિકલ્પ જાળ ઉત્પન્ન થઈ, દોષ સમજાર્યો, ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવા ગયાં, માયા રાખીને આલોચના લીધી, ખૂબ તપશ્ચર્યા કરી પણ પરિણામ વિપરીત જ આવ્યું.
રુકમીને જુઓ, એનું પણ કર્યું કારવ્યું માયાએ ધૂળમાં મેળવી દીધું. રુકમી એ સ્ત્રી હતી-રાજપુત્રી હતી, આજીવન શીલધારી રહી હતી, તેના પિતાને પુત્ર ન હોવાથી તે રુકમીને જ રાજયાસને સ્થાપના કરી હતી. રાજ્યનું શાસન સુંદર રીતે કરતી હતી. એકદા રુકમી દરબાર ભરીને બેઠી હતી. બહારથી કોઈ સાર્થવાહ તેના રાજ્યમાં આવ્યો, સભામાં બેઠો. તે ખૂબ રૂપવાન હતો, તેની ઉપર ખરાબ દષ્ટિથી જોયું, ત્યારપછી
કમીએ પછીની અવસ્થામાં સંયમ સ્વીકાર્યું. યોગ્ય ગુરુમહારાજ પાસે ભવની આલોયણા લીધી. તેમાં જીવનભરમાં જે કોઈ પાપ-દોષ સેવ્યા હતા તે બધાયે ગુરુમહારાજ પાસે સરળભાવે પ્રગટ કર્યા. પણ તે દિવસે તે સાર્થવાહની સામે જે દૃષ્ટિ કરીને