Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે.
કલા પણ ઘણી ઓછી કિંમતે વેચી ધર્મનો પ્રચાર કરે છે. મુસ્લિમ લેકે પણ તેમના પવિત્ર મનાતા ગ્રન્થ કુરાનનું પણ અનેક ભાષાઓમાં ભાષાતર કરી સમાજમાં પ્રચાર કરે છે આપો પૈસા પરને મેહ ઉતારી ભગવાનના સિદ્ધાંતને પ્રચાર કરવા માટે તન, મન, ધન સમર્પણ કરવા જોઈએ અને સૂત્ર પ્રકાશનના કાર્યને વધુને વધુ વેગ મળે તે માટે સકીય પ્રયા કરવા જોઈએ આવા પવિત્ર કાર્યમાં સાપ્રદાયિક મતભેદ સોએ ભૂલી જવા જોઈએ અને શુધ્ધ આશયથી થતા શુધ્ધ કાર્યને અપનાવી લેવું જોઈએ સમિતિના નિયમાનુસાર રૂા ૨૫૧ ભરી સમિતિના સભ્ય બનવું જોઈએ ધાર્મિક અનેક ખાતાઓને મુકાબલે સૂત્ર પ્રકાશનનુ-જ્ઞાન પ્રચારનું આ ખાતું સર્વશ્રેષ્ઠ ગણાવવું જોઈએ
આ કાર્યને વેગ આપવાની સાથે સાથે એ આગમ-ભગવાનની એ મહાવાણીનુ પાન કરવા પણ આપણે હર હમેશ તત્પર રહેવું જોઈએ જેથી પરમ શાન્તિ અને જીવન સિદ્ધિ મેળવી શકાય (સ્થા જન તા ૫-૭-૫૬) શ્રી અ ભા સ્થા, જૈન શાસ્ત્રો દ્વાર સમિતિના પ્રમુખ શ્રી વગેરે
રાણપુર પરમ પવિત્ર સૌરાષ્ટ્રની પુણ્ય ભૂમિ પર જ્યારથી શાત-શાસ્ત્રવિશારદ અપ્રમાદિ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના પુનિત પગલા થયા છે ત્યારથી ઘણું લાબા કાળથી લાગુ પડેલ જ્ઞાનાવરણીય કર્મના પડળ ઉતારવાને શુભ પ્રયાસ થઈ રહ્યો છે અને જે પ્રવચનની પ્રભાવના તેઓશ્રી કરી રહ્યા છે તે અને તે ઉપકારક કાર્યમાં તમે જે અપૂર્વ સહાય આપી રહ્યા છે તે માટે તમે સર્વને ધન્ય છે અને એ શુભ પ્રવૃત્તિના શુભ પરિણામે જનતા લાભ યે છે મને તે સમજાય છે કે સાધુજી છઠું ગુણસ્થાનકે જ હોય છે પણ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ તે બહુધા સાતમે અપ્રમત્ત ગુણસ્થાનકે જ રહે છે એવા આ રમત માત્ર પાચ-સાત સાધુએ જે સ્થાનકવાસી જૈન સમાજમાં હોય તે સમાજનું શ્રેય થતા જરા વાર ન લાગે સમાજાકાશમાં સ્થા જન સંપ્રદાયને દિવ્ય પ્રભાકર જળહળી નીકળે ૫ ણ દિન
શ્રી શાસ્ત્રોદ્ધાર સમિતિને મારી એક નમ્ર સૂચના છે કે-પૂજ્યશ્રીની વૃદ્ધાવસ્થા છે, અને કાર્યપ્રણાલિકા યુવાનને શરમાવે તેવી છે તેમને ગામેગામ વિહાર કરવા અને શાસ્ત્રોદ્ધારનું કાર્ય કરવું તેમા ઘણી શારીરિકમાનસિક અને વ્યવહારિક મુશ્કેલી વેઠવી પડે છે તે કઈ યોગ્ય સ્થળ કે જ્યાના શ્રાવકે ભક્તિવાળા હેય વાડાના રાગના વિષથી અલિપ્ત હોય એવા કઈ સ્થળે શાસ્ત્રોદ્ધારનું કાર્ય પૂર્ણ થાય ત્યા સુધી સ્થીરતા કરી શકે એના માટે પ્રબ ધ કરવો જોઈએ બીજા કોઈ એવા સ્થળની અનુકૂળતા ન મળે તે છેવટે અમદાવાદમાં મેગ્ય સ્થળે રહેવાની સગવડતા કરી અપાય તે વધુ સારૂ હારી આ સૂચના પર ધ્યાન આપવા ફરી યાદ આપુ છુ ફરીવાર પૂજ્ય આચાર્યશ્રીને અને તેમના સત્કાર્યના સહાયકોને મારા અભિનંદન પાઠવુ છુ તે સ્વીકારશોજી
લિ સદાનદી જૈનમુનિ *