Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ હેય એમાં નવાઈ નથી અને પૂ શ્રી વાસીલાલ મરના બનાવેલાં સૂત્ર સૌ કોઈને ખાત્રી થાય તેમ છે કે મોદરદાસભાઈએ તેમજ સ્થાનકવાસી સમાજે જેવી આશા શ્રી ઘાસીલાલજી મ પાસેથી રાખેલી તે બરાબર ફળી ભૂત થયેલ છે
શ્રી વર્ધમાન શ્રમણસાના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે શ્રી ઘાસીલાલજી મહારાજના સૂત્રે માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ આપેલ છે તે ઉપરથી જ શ્રી ઘાસીલાલજી મના સત્રની ઉપયોગીતાની ખાત્રી થશે
આ સૂત્રે વિદ્યાર્થીને, અભ્યાસીને તેમજ સામાન્ય વાચકને સર્વને એક સરખી રીતે ઉપયોગી થઈ પડે છે. વિદ્યાર્થીને તેમજ અભ્યાસીને મૂળ તથા સંસ્કૃત ટકા વિશેષ કરીને ઉપયોગી થાય તેમ છે ત્યારે સામાન્ય હિડી વાચકને હિન્દી અનુવાદ અને ગુજરાતી વાચકને ગુજરાતી અનુવાદથી આખુ સૂત્ર સરળતાથી સમજાય જાય છે
કેટલાકને એ ભ્રમ છે કે સુ વાચવાનું આપણુ કામ નહિ, સૂત્ર આપણને સમજાય નહિ આ ભ્રમ તદન ખોટે કે બીજા કોઈપણ શાસ્ત્રીય પુસ્તક કરતા સૂત્ર સામાન્ય વાચકને પણ ઘણું સરળતાથી સમજાઈ જાય છે સામાન્ય માણસ પણ સમજી શકે તેટલા માટે જ ભ૦ મહાવીરે તે વખતની લોકભાષામાં ( અર્ધ માગધી ભાષામાં સૂત્રે બનાવેલા છે, એટલે એ સૂત્રે વાચવા તેમજ સમજવામાં ઘણા સરળ છે
માટે કોઈપણ વાચકને એને ભ્રમ હેય તે તે કાઢી નાખો અને ધર્મનું તેમજ ધર્મના સિદ્ધાતનું સાચુ જ્ઞાન મેળવવા માટે સૂત્રે વાંચવાને ચૂકવું નહિ એટલું જ નહિ પણ જરૂરથી પહેલા સૂ જ વાચવા
સ્થાનકવાસીઓમાં આ શ્રી સ્થા જેન શાદ્ધાર સમિતિએ જે કામ કર્યું છે અને કરી રહી છે તેવું કોઈ પણ સંસ્થાએ આજ સુધી કર્યું નથી
સ્થા જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના છેલો રિપોર્ટ પ્રમાણે બીજા છ સૂત્રો લખાયેલ પડયા છે, બે સૂત્રો-અનુગદ્વાર અને ઠાણાગ સૂત્રો-લખાય છે તે પણ થોડા વખતમા તૈિયાર થઈ જશે તે પછી બાકીના સૂત્રે હાથ ધરવામા આવશે
તૈયાર સૂત્રે જલદી છપાઈ જાય એમ ઈચ્છીએ છીએ અને સ્થા બધુએ સમિતિને ઉત્તેજન અને સહાયતા આપીને તેમના સૂત્રે ઘરમા વસાવે એમ ઈચ્છીએ છીએ
જેન સિદ્ધાન્ત' પત્ર-મે ૧લ્પપ