________________ અસારતા-ભયાનક્તા સાંભળવા મળે, એના તરફ દૃષ્ટિ જાય, પછી એમણે ઉપદેશેલા ધર્મની અર્થાત્ દયાદાન-શીલ-તપ વગેરેની સાધના કરતા ચાલે, એમાં આ વિષયરાગ કાંઈક મેળ પડતો જણાય, સ્વાર્થવશ જીવની અમર્યાદ હિંસા કર્યે જતા હતા, એમાં હવે દયાના માર્ગે ચાલે, એટલે સહેજે એટલા સ્વાર્થના વિષયને હિંસાથી પિષવાનું બંધ કર્યું. વિષય-પુષ્ટિને બદલે દયાને વહાલી કરી. એ જ અતિ ગાઢ વિષયરાગ પર ઘા પડે. આ ધર્મનું પ્રત્યક્ષ ફળ છે. આની જે કિંમત સમજાય તે લાગે કે ધંધ-ધાપિ ભલે લાખ રૂપિયા પણ કમાવી આપતે હોય, છતાં એમાં શું ખુશી થવાનું? ધંધાથી ખુશી થવાનું નહિ કેમકે એમાં અનાદિને વિષયરાગ કાલે-કૂલે છે, ને એ ધંધે-ધાપે દયા વગેરે ધર્મને ભુલાવી દે છે. માટે તો અજ્ઞાન માણસ કહે છે ને કે “ધંધામાં દયા–બયા ન જોવાય.” આવાને ધર્મ ક્યાં સ્પશે? વાત આ છે - ધર્મનું લૌકિક ફળ - પૌગલિક પૈસા ટકા વગેરે ફળ ભલે પ્રત્યક્ષ નથી, કિન્તુ ઝેરી વિષયરાગ કાંઈક પણ ઓછું થવાનું ફળ પ્રત્યક્ષ છે. વિષચરાગને હાસ એ ધર્મનું પ્રત્યક્ષ ફળ છે. કિન્તુ આ રાગને હાસ થવાનું ફળ કેને ગમે?