Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 53
________________ दीधिति: १४ એટલે હવે આ સ્થળે ઘટાભાવ લઈએ તો ઘટાભાવ એ પર્વતાનુયોગિકસંયોગસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક જ લેવાનો છે. આ પ્રતિયોગિતાનો અવચ્છેદક એવો પર્વતાનુયોગિકસંયોગસંબંધ છે. આ સંબંધથી અવચ્છિન્ન એવા તો પર્વતમાં રહેલા વિન+વૃક્ષાદિ બનશે. અને તેની અધિકરણતા એ પર્વતમાં જ આવવાની અને એ અધિકરણતા એ સ્વરૂપસંબંધથી પર્વતમાં રહેશે. એટલે પર્વતાયોગિક-સંયોગાવચ્છિન્નવૃક્ષાદિઅધિકરણતાનિરૂપિત એવો વિશેષણતાવિશેષ=સ્વરૂપસંબંધ મળ્યો. હવે ઘટાભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક ધર્મ ઘટત્વ છે. અને ઘટત્વાવચ્છિન્ન એવા એ ઘટની અધિકરણતા ભૂતલાદિમાં છે. પણ પર્વતમાં નથી એટલે વૃક્ષાદિ-અધિકરણતાનિરૂપિતસ્વરૂપ સંબંધથી તો ઘટાધિકરણતાસામાન્યનો અભાવ પર્વતમાં મળી જ જાય છે. અહીં કદાચ ઘટ એ પર્વતમાં કાલિકથી રહે તો પણ કાલિકાવચ્છિન્નઘટાધિકરણતા પર્વતમાં કાલિકાવચ્છિન્નઘટાધિકરણતાનિરૂપિતસ્વરૂપસંબંધથી જ રહેશે. પરંતુ પર્વતાનુયોગિકસંયોગાવચ્છિન્ન વૃક્ષાધિકરણતાનિરૂપિતસંબંધથી તો તાદશઘટાધિકરણતાનો અભાવ પર્વતમાં મળી જ જાય છે. એટલે આ પર્વત એ પ્રતિયોગિ-અનધિકરણ એવા હેત્વધિકરણ તરીકે લઈ શકાશે. અને તેમાં પર્વતાનુયોગિકસંયોગથી ઘટનો અભાવ લેવાશે. તેની પ્રતિયોગિતા પર્વતાનુયોગિકસંયોગથી અવચ્છિન્ન પણ મળી જ જવાની છે. અને તે પ્રતિયોગિતાનો અનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ બની જાય છે. માટે અવ્યાપ્તિ ન આવે. નં. ૨ મત પ્રમાણે વિચારીએ તો સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્તાધિકરણતાનિરૂપિતસ્વરૂપસંબંધેન તાદશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્તાધિકરણતાસામાન્યનો અભાવ જેમાં મળે તે જ તાદશપ્રતિયોગી-અનધિકરણ એવા હેત્વધિકરણ તરીકે લઈ શકાય. હવે અહીં તો પ્રતિયોગિતા એ લક્ષણને અંતે સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન જ લેવાની છે તેવું નથી. ગમે તે લેવાય. એટલે સંયોગથી ઘટાભાવ લઈએ, તો સાધ્યતાવચ્છેદક એવા પર્વતાનુયોગિકસંયોગસંબંધથી અવચ્છિન્ન તરીકે ઘટ તો બનવાનો જ નથી. પણ વિના+ધૂમ+વૃક્ષાદિ બનશે. આ અધિકરણતા સ્વરૂપસંબંધથી પર્વતમાં મળશે. એટલે કે પર્વતાનુયોગિક સંયોગાવચ્છિન્નવૃક્ષાદિ-અધિકરણતાનિરૂપિતસ્વરૂપસંબંધથી પર્વતમાં તે વૃક્ષાદિ-અધિકરણતા રહેશે. પરંતુ પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વાવચ્છિન્નઘટાધિકરણતા-સામાન્યનો તો ઉપર્યુક્તસ્વરૂપ સંબંધથી પર્વતમાં અભાવ મળી જ જવાનો. એટલે પર્વત એ નિરુક્ત પ્રતિયોગી અનધિકરણ એવા હેત્વધિકરણ તરીકે લઈ શકાશે. અને તેમાં સંયોગથી ઘટાભાવ છે. અને તેની સંયોગાવચ્છિન્ન પ્રતિયોગિતાનો અનવચ્છેદક વિઘ્નત્વ બની જતા લક્ષણસમન્વય થઈ જાય. જો આ વિવક્ષા ન કરીએ તો તો કોઈપણ અભાવ લઈ જ ન શકાય. કેમકે કોઈપણ અભાવના પ્રતિયોગી ઘટાદિની અધિકરણતા એ કાલિક સંબંધથી તો હેત્વધિકરણમાં રહી જ જવાની. અને તો પછી પ્રતિયોગીઅનધિકરણ એવું હેત્વધિકરણ જ અપ્રસિદ્ધ બની જતા અવ્યાપ્તિ આવવાની જ છે. અહીં પ્રતિયોગીઅનધિકરણ” એવું હેત્વધિકરણ લેવાની વિવક્ષા જ્યારે કરી ત્યારથી માંડીને “કયા સંબંધથી પ્રતિયોગીનું અનધિકરણ લેવું” એ કહ્યું ન હતું. માત્ર આગળ=અહીં આવવાનું હોવાથી એ પ્રમાણે અર્થ કરી લેતા હતા. જે હવે અહીં નિરૂપણ કરવામાં આવેલ છે. जगदीशी - ननु सम्बन्धविशेषेण साध्य - साधनयो: सामानाधिकरण्यप्रवेशे तादात्म्येन हेतुसाध्यभावेऽव्याप्तिः, ताद्दशसम्बन्धेन हेतु - साध्ययोरधिकरणाप्रसिद्धेरत आह, - एवं स्थित इति । સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૪૮.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214