Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 128
________________ दीधिति:१९ વૃત્તિ તરીકે લીધેલ હશે, તો આ તત્યણુકવૃત્તિત્વવિશિષ્ટદધિ એ તત્યણુકાનુયોગિકતાદાભ્યથી જ રહેશે. એ સમવાયાદિસંબંધથી તેનું અધિકરણ પ્રસિદ્ધ જ ન બનવાથી તેનું અનધિકરણ પણ ન મળે. એટલે ચતુરણુકાનુયોગિકસમવાયાદિથી પણ તત્યણુકવૃત્તિત્વવિશિષ્ટદધિનું અનધિકરણ એવું હેવધિકરણ લઈ ન શકાય. એમ તત્યણુકમાં જો-સમવાયથી વૃત્તિ એવો દધિ લેશો, તો તત્યણુકવૃત્તિત્વ વિશિષ્ટદધિ એ તત્યક અનુયોગિકસમવાયથી જ રહેશે. બીજા કોઈ પણ સંબંધથી તેનું અધિકરણ ન મળતા બીજા કોઈપણ સંબંધથી તેનું અનધિકરણ એવું હેત્વકિરણ પણ ન લઈ શકાય અને તયણકવૃત્તિત્વવિશિષ્ટદધિ એ તત્યણુકાનુયોગિકસમવાયથી તો તત્યણુકમાં રહેલું જ છે, એટલે એ સંબંધથી તેનું અધિકરણ જ હત્યધિકરણ મળી જાય છે. અહીં એ ખ્યાલ રાખવો કે તત્યણુકદધિવૃત્તિત્વવિશિષ્ટદધિ એ તાદાત્મથી જ સાધ્ય હોવાથી તત્યશુકદધિમાં તાદામ્યથી વૃત્તિ એવો દધિ જ અહીં સાધ્ય તરીકે છે, પણ જ્યારે વ્યાપ્તિલક્ષણ વિચારીએ ત્યારે કોઈ એમ કહે કે, તત્યણુકદધિવૃત્તિત્વવિશિષ્ટદધિનો તત્યણુકદધિમાં સમવાયથી અભાવ છે, તો ત્યારે એમ કહી શકાય કે, તત્યણુકમાં સમવાયથી વૃત્તિ એવો જે ચતુરણકદધિ છે. એ પણ તત્યણુકવૃત્તિત્વવિશિષ્ટદધિ જ છે. અને એ તો સમવાયથી તત્યણુકમાં રહે જ છે, માટે તેનું અનધિકરણ તત્યણુક ન બને. તેમ કોઈ ચતુરણુકાનુયોગિકસમવાયાદિથી આ સાધ્યનો હેતધિકરણમાં અભાવ સુચવે તો ત્યાં પણ સ્પષ્ટ કહી શકાય કે તત્યણુકદધિવૃત્તિત્વવિશિષ્ટ દધિ એ તત્યણુકદધિ-અનુયોગિકતાદાભ્ય, તત્યણુકાનુયોગિકસમવાયાદિથી જ રહી શકે. ચતુરણકદધિ-અનુયોગિકસમવાયાદિથી તે કશે રહે જ નહી. માટે “તેનું અનધિકરણ હેવધિકરણ બને છે” એમ બોલી જ ન શકાય. એટલે એવા કોઈપણ સંબંધથી અહીં સાધ્યાનધિકરણ હેવધિકરણ લઈ શકાતું જ નથી. હવે સંયોગસબંધ વિચારીએ, તો ધારોકે તત્યણુકદધિ ઉપર બીજો કોઈ હયણુકદધિ સંયોગથી રહેલો છે, તો એ દ્રયણ કદધિ એ તત્પણ કદધિવૃત્તિત્વવિશિષ્ટ બનશે. હવે આ વખતે તો સંયોગથી તત્યણુકદધિવૃત્તિત્વવિશિષ્ટદધિ એ તત્યણુકમાં હાજર જ હોવાથી તદનધિકરણ બનતો જ નથી. હવે જ્યારે એ તત્યણુકમાં સંયોગથી કોઈપણ દધિ નથી. ત્યારે તત્યણુકાદિમાં તાદાભ્યથી/સમવાયથી વૃત્તિ એવા જ દધિ એ તત્યણુકદધિવૃત્તિત્વ વિશિષ્ટ બનશે. હવે એ દધિ તો સંયોગથી ક્યાંય રહેતા જ નથી. જેમ દ્રવ્યત્વ એ આમ તો સમવાયથી બધે જ રહે પણ જ્યારે ઘટાનુયોગિકસમવાયથી ઘટવૃત્તિત્વવિશિષ્ટ દ્રવ્યત્વ લઈએ તો એ સમવાયથી માત્ર ઘટમાં જ રહે. ઘટ એ સંયોગથી ભૂતલમાં, સમવાયથી કપાલમાં, તાદાભ્યથી ઘટમાં રહે ખરો. પણ જ્યારે સમવાયથી કપાલવૃત્તિત્વવિશિષ્ટઘટ લઈએ, ત્યારે તે પછી સંયોગાદિથી કશે પણ રહેનારો ગણાતો નથી. આમ અહીં પણ સમવાયાદિથી તત્યણુકદધિવૃત્તિત્વવિશિષ્ટદધિનું સંયોગથી અધિકરણ જ પ્રસિદ્ધ ન હોવાથી તેનું અનધિકરણ એવું હેવધિકરણ પણ લઈ શકાતું નથી અને તેથી આ સ્થાને કોઈપણ સંબંધથી સાધ્યઅનધિકરણ હત્યધિકરણ ન મળી શકતા લક્ષણસમન્વય ન થતા અવ્યાપ્તિ આવે. માટે જ તમારી આ વ્યાપ્તિની વ્યાખ્યા બરાબર નથી. અમારી વ્યાખ્યા મુજબ અહીં પણ વાંધો ન આવે. અહીં સાધ્યતાવચ્છેદક તરીકે તાદાભ્ય સંબંધ છે. તત્યણુકદધિવૃત્તિત્વવિશિષ્ટદધિ-અભાવના પ્રતિયોગી તરીકે તત્યણુકદધિવૃત્તિત્વવિશિષ્ટ દધિ આવે અને તાદાભ્યસંબંધથી આવા દધિનું અધિકરણ જ તત્યણુકદધિ બને છે. એટલે “યો :” ની અંદર જ આ સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૧૨૩ etic.10MILISIANALITYo/10LfI/CG014TNEFINISHITHIK//twit/IIIIIT/Not To THINKITKHILITY&lorfolk III0:201516110150311110CFILMINATITANIMotivation of ITI/51015060IMINALIA VILLAIMINISANTANB

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214