Book Title: Siddhant Lakshan Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 214
________________ I મુખપૃષ્ઠ પરિચય વૈજ્ઞાનિકો ટેલીસ્કોપના સહારે ગ્રહો, તારાઓ, ચંદ્ર વિગેરેની સૂક્ષ્મમાં સૂક્ષ્મ માહિતીઓ જાણી લે છે. ટેલીસ્કોપ વિના એ અતિ દૂર રહેલા ગ્રહો વિગેરેની સૂક્ષ્મ માહિતીની પ્રાપ્તિ તેઓ ન કરી શકે. | જિનાગમાં અને મુખ્યત્વે સૂરિપુરંદર હરિભદ્રસૂરીશ્વરજી તથા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સાહેબ વિગેરે મહાપુરુષોના અદ્વિતીય કક્ષાના ગ્રંથો એ આકાશમાં ચમકતા. તારાઓ, ગ્રહો, નક્ષત્રો જેવા છે. એમાં એવા તો પદાર્થોના ખજાનાઓ પડેલા છે કે એને પામીને મન મોરલો નાચ્યા વિના ન જ રહે. પણ એ બધા પદાર્થો સહેલાઈથી હાથમાં આવે એવા નથી. એના માટે ન્યાયગ્રંથોનો અભ્યાસ એ ટેલીસ્કોપનું કામ કરે છે. સંયમીઓ જો ખૂબ સારી રીતે મુક્તાવલિ, વ્યાપ્તિપંચક અને છેલ્લે આ સિદ્ધાન્તલક્ષણ સુધીના ન્યાયગ્રંથોનો અભ્યાસ કરશે તો એમની બુધ્ધિ ખૂબ જ તીક્ષ્ણ બનશે. એ સૂક્ષ્મપ્રજ્ઞા પછી અણમોલ ગ્રંથોના રહસ્યોને પામવા માટે અતિશય ઉપયોગી બની રહેશે. આ જ વાત અમે મૃખપૃષ્ઠ દ્વારા દર્શાવી છે. આ હકીકત સમજવા માટે આ ગ્રંથની પ્રસ્તાવના અવશ્ય વાંચવી.

Loading...

Page Navigation
1 ... 212 213 214