Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ પાદલેખનિકા (પગથી કાદવ દૂર કરવાની કાષ્ઠની પટ્ટી) વડે પગોને પ્રમાર્જે. કારણ કે સ્પંડિલ (શુદ્ધ-અચિત્ત ભૂમિ)માંથી અસ્પંડિલ (કાદવવાળી કે જંગલની મિશ્ર રજવાળી વગેરે ભૂમિ)માં કે અસ્થડિલમાંથી ચંડિલમાં પ્રવેશ કરતાં સાધુએ પગ પ્રમાર્જવાનું વિધાન છે.
આ પ્રમાણે જયણાથી વસતિના(ઉપાશ્રયના) બારણા પાસે આવીને મોટા શબ્દથી ‘નિસીહિ' ત્રણવાર કહીને પાદપ્રમાર્જન વગેરે વિધિ કરવાપૂર્વક મકાનમાં પ્રવેશ કરે. તે ત્રીજી પોરિસીનું કર્તવ્ય જાણવું. ૯પી, ' ,
હવે મકાનમાં આવીને શું કરવું તે કહે છેमूलम् : आगत्य वसतौ गत्या-गत्योरालोचनं स्फुटम् ।
શેડથ શ્ચિમે ગામ, પથપ્રતિવના Hiદ્દા ગાથાર્થ ઉપાશ્રય આવીને પ્રગટ રીતે ગમનાગમનની આલોચના કરવી. અને પછી દિવસનો છેલ્લો પ્રહર બાકી રહે છશે ઉપધિનું પડિલેહણ કરવું."
ટીકાનો સંક્ષેપભાવાર્થ : ઉપાશ્રયમાં આવીને ગુરુની સમક્ષ આવવા-જવામાં થયેલી (કે સંભવિત) વિરાધનાની ઇરિયાવહી પ્રતિક્રમણ કરીને (ગુરુને સમજાય તે રીતે સ્પષ્ટ રીતે,) આલોચના કરે. હવે ત્રીજી પોરિસી પૂરી ન થઈ હોય તો, તેટલો કાળ સ્વાધ્યાય કરે.
સાધુને તે તે સમયે કરવાનાં કાર્યો વચ્ચે સમય બચે ત્યારે ત્યારે સ્વાધ્યાય કરવો તે જ ઊચિત છે.
પડિલેહણનો વિધિ સવારની પ્રતિલેખનાની વિધિમાં કહ્યો છે, તેથી જે વિશેષ હશે તે અહીં કહેવાશે.
છેલ્લી પોરિસીનો પ્રારંભ થાય ત્યારે એક (વડીલ) સાધુ ખમાસમણ દઈને ગુરુને તેના સમયનું નિવેદન કરવા માટે કહે કે “પવન્ વહુડપુત્રી પોરિસી ! અર્થાત્ ત્રીજી પોરિસી સર્વથા પરિપૂર્ણ થઈ ! તે સાંભળીને સર્વ સાધુઓ ગુરુ સમક્ષ એકત્ર મળીને ઇરિયાવહી પ્રતિક્રમણપૂર્વક એક ખમાસમણ આપીને (સર૦) મવિન્ ! ડિvi વો' અર્થાત્ હે ભગવન્! (આપની ઇચ્છાનુસાર) પડિલેહણ કરીએ છીએ, એમ જણાવીને બીજું ખમાસમણ દઈ (રૂચ્છ, સં૦િ) મવિનું ! વર્માત પનમો' અર્થાત્ હે ભગવન્! (આપની ઇચ્છાનુસાર) વસતિનું પ્રમાર્જન કરીએ છીએ.” એમ કહીને મુહપત્તિ અને શરીરનું પડિલેહણ કરે. (વર્તમાનમાં આદેશો ભિન્ન છે. અહીં ગ્રંથાનુસાર લખેલ છે.)