Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૧૪૩
ગાથાર્થ : સામાન્યતયો સર્વ કોઈ આશાતનાઓને અથવા (પગામસિક્કામાં કહી તે) તેત્રીસ આશાતનાઓને ત્યાગ કરતો અને તેથી જ ૩૫સંપન્ન: = અર્થપત્તિએ અનાશાતનાના ભાવને પ્રાપ્ત થયેલો વિનયાદિ સંયમવ્યાપારથી યુક્ત એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું. (૨૨)
एवं तिदंडविरओ, तिगरणसुद्धो तिसल्लनिसल्लो । तिविहेण पडिक्कतो, रक्खामि महब्बए पंच ।।२३।।
ગાથાર્થ : = ઉપર ત્રણ લેશ્યા વગેરેનો ત્યાગ કરવાપૂર્વક ઇત્યાદિ કહ્યું, તેમ મન-વચન-કાયરૂપ ત્રણ દંડથી વિરામ પામેલો, મન-વચન-કાયા એ ત્રણ કરણથી શુદ્ધ થયેલો તથા માયાનનિદાન-મિથ્યાત્વ શલ્યથી રહિત, ત્રણ પ્રકારે (અતિચારો કરવા નહિ, કરાવવા નહિ અને અનુમોદવા નહિ એમ) સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કર્યું છે, એવો હું પાંચ મહાવ્રતોની રક્ષા કરું છું.
હવે ઉપર પાંચ મહાવ્રતોની પ્રતિજ્ઞા કરી તે મહાવ્રતોની સ્તુતિ કરતાં કહે છે કે
"इच्छेइअं (य) महव्वयउच्चारणं थिरत्तं सल्लुद्धरणं धिइबलं ववसाओ साहणट्ठो पावनिवारणं निकायणा भावविसोही पडागाहरणं निज्जूहणाराहणा गुणाणं संवरजोगो पसत्थझाणोवउत्तया जुत्तया य नाणे परमट्ठो उत्तमट्ठो, एस (खलु) तित्थंकरेहिं रइरागदोसमहणेहिं देसिओ पवयणस्समारो, छज्जीवनिकायसंजमं उवएसिउं• (यं) तेलुक्कसक्कयं ठाणं अब्भुवगया, णमु(नमो)त्यु ते सिद्ध बुद्ध मुत्त नीरय निस्संग माणमूरण गुणरयणसायरमणंतमप्पमेय नमोऽत्यु ते महइमहावीर ! वद्धमाण सामिस्स, नमोऽत्थु ते अरहओ, नमोऽत्थु ते भगवओ त्ति कट्ट, एसा खलु महव्वय उच्चारणा कया, इच्छामो सुत्तकित्तणं काउं" .
વ્યાખ્યા : ટ્યતત્ = એમ આ ઉપર કહ્યું કે, મહાવ્રતોરારમ્ = મહાવ્રતોનું ઉચ્ચારણ (પાલન), તે કેવું છે ? (અથવા એનાથી કેવો લાભ થાય ?) તે કહે છે કે સ્થિરત્વમ્ = મહાવ્રતોમાં જ અથવા ચારિત્ર ધર્મમાં સ્થિરતાનો હેતુ હોવાથી આત્માને નિશ્ચલ બનાવે છે. જ્યોદ્ધરમ્ = શલ્યોનો નાશ કરવામાં કારણ હોવાથી માયાદિ શલ્યોનો નાશ કરનારું છે. ધૃતિવમ્ = વૈર્ય = ચિત્તની સમાધિમાં બળ = આલંબન આપનારું છે. વ્યવસાય: = દુષ્કર પણ આરાધના કરવાના અધ્યવસાયો આત્મામાં પ્રગટાવે છે. સથનાર્થ = મોક્ષને સાધવાનો પરમ અર્થ (ઉપાય) છે. પરિવારમ્ = પાપકર્મોને અટકાવનારું છે. નિવના = આત્માને
સાવદ્યયોગથી નિવૃત્ત થયેલો તે ત્રિદંડવિરત અને નિરવદ્યયોગમાં પ્રવૃત્ત થયેલો તે ત્રિકરણ શુદ્ધ, આ બંનેમાં ભેદ છે એમ જાણવું.