Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 284
________________ ૨૧૭ શ્રમણ ધર્મ પ્રકાર છે તેનો જય કરવો તે સાપેક્ષ યતિ ધર્મ છે. (૧) ક્ષુધા : ભૂખથી પીડાવા છતાં શક્તિમાન્ મુનિ એષણા સમિતિમાં દોષ ન સેવે, પરંતુ દીનતા-વિહ્વળતા વિના જ માત્ર સંયમરૂપી દેહના પાલન માટે અપ્રમત્તપણે આહારાદિ માટે ફરે. (૨) તૃષા : વિહાર કરતાં માર્ગે તૃષા(તરસ)થી પીડા થવા છતાં મુનિ દીનતા ન કરે, ઠંડા (કે સચિત્ત) પાણીની ઇચ્છા ન કરે. (તૃષા પરીષહને સહન કરે.) મળે તો અચિત્ત જ પાણી ગ્રહણ કરે. (૩) શીત : ઉત્તમ મુનિ ઠંડીથી પરાભવ પામવા છતાં વૃક્ષોની છાલ કે બીજાં સૂત્રાઉ વગેરે વસ્ત્રોના અભાવમાં પણ અકલ્પ્ય વસ્ત્રને ન સ્વીકારે અને અગ્નિની સહાય પણ ન લે. (૪) ઉષ્ણ : ગરમીથી પીડાવા છતાં મુનિ તેની નિંદા ન કરે, અકળામણ ન અનુભવે. છાયાનું સ્મરણ, વિંજણો, પંખો કે હવા વગેરેનો ઉપયોગ અને શરીરે પાણી છાંટવું વગેરે શીતલ ઉપચારો પણ ન કરે. (૫) મચ્છર અને ડાંસ : મચ્છરાદિ કરડવા છતાં ‘સર્વ જીવોને આહાર પ્રિય છે' એમ સમજતો મુનિ તેની ઉપર દ્વેષ કે ત્રાસ”ન કરે, ઉડાડે નહિ, ઉપેક્ષા કરે અને પીડાને સમભાવે સહન કરે. (૬) અચેલ (નગ્નતા) : જીર્ણ અને તુચ્છ વસ્ત્રો પહે૨વા છતાં મુનિ ‘મારે વસ્ત્ર નથી અથવા ખરાબ છે અથવા સારું છે’ ઇત્યાદિ વસ્ત્રના રાગ-દ્વેષમાં મુંઝાય નહિ, પણ લાભાલાભમાં ક્ષયોપશમની વિચિત્રતાનો જાણ, અચેલ પરીસહને સહન કરે, કુવિકલ્પો ન કરે.. (૭) અતિ : ધર્મમાં આનંદ માનતો મુનિ આવી પડતા કષ્ટોમાં અતિ - ખેદ ન કરે, કિન્તુ ચિત્તની સ્વસ્થતાનો અનુભવ કરે. (૮) સ્ત્રીઓ : ‘દુર્ધ્યાનના કારણરૂપ અને મોક્ષમાં પ્રતિબંધક સ્ત્રીનો વિચાર માત્ર કરવાથી પણ ધર્મનો નાશ થાય છે' એમ સમજતો મુનિ સ્ત્રીને ભોગવવાનો વિચાર પણ ન કરે. (૯) વિહાર : કોઈ ગામ વગેરેમાં સ્થિ૨વાસ ન કરતાં પ્રતિબંધથી મુક્ત મુનિ (ગચ્છવાસને પૂર્ણ કરીને પડિમા વગેરે) વિવિધ અભિગ્રહો કરીને એકલો પણ ફરે.

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322