________________
નમો અરિહંતાણમ્ મંત્ર
ઉપયોગ એટલા માટે કરાયો કે એ પાણીમાં ઊંડે હોય ત્યારે એમાંથી રેડિયો વેલ્ટ બહાર નીકળી શકતાં નથી, તેમ બહારથી રેડિયો વેડ્ઝ અંદર જઈ શક્તાં નથી. કોઈ પણ કિરણ ઊંડે સુધી પાણીમાં પ્રવેશી શક્તાં નથી એવું વૈજ્ઞાનિકો કહે છે. સૂર્યનાં કિરણ અમુક ઊંડાઈ સુધી જ દરિયાનાં પાણીમાં પ્રવેશી શકે છે. કિનારા પર રાખેલી ઊંદરડીના માથા પર ચારે બાજુ ઈલેક્ટ્રોડ્ઝ લગાવી તેને ઈ.ઈ.જી. યંત્ર સાથે જોડી દેવાયા. ઈ.ઈ.જી. યંત્ર ઉંદરડીના મસ્તિષ્કમાં જે કાંઈ બને, તેનો ગ્રાફ દોર્યા કરે. એક અદ્ભુત વાત બની... હજારો ફૂટ નીચે સબમરીનમાં છ કલાકમાં, સમયે સમયે એનાં આઠે બચ્ચાંને મારી નાખવામાં આવ્યાં. સબમરીનમાં રહેલા વૈજ્ઞાનિકે જે જે સમયે એ બચ્ચાંને માર્યા હતા તેની નોંધ રાખી. કિનારા પર રહેલાં ઈ.ઈ.જી. યંત્ર પર, બરાબર તેતે સમયે જ, ઊંદરડીના મસ્તિષ્કમાંથી એક એક ધક્કો આવ્યો તેનોંધાયો. ઊંદરડીને હજાર ફૂટ ઊડે આ બચ્ચાંને, મરતાં હોવાની ખબર ટેલીપથી દ્વારા મળી. જાનવરોમાં ટેલીપથીક સંદેશા ઝીલવાની ક્ષમતા સહજ છે. માનવીની આ ક્ષમતા ખોવાઈ ગઈ છે. જાનવરો હજી પણ ટેલીપથીક જગતમાં જીવી રહ્યાં છે. નવકાર મંત્રનો ઉપયોગ છે, તમને ફરીથીટલીપથીક જગતમાં લઈ જવાનો. જો તમે તમારી જાતને હૃદયપૂર્વક શરણાગતિમાં છોડી શકો. તમે તમારા અચેતન ઉંડાણમાં ડૂબીને કહી શકો ‘નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં તો તમે તમારા પોતાના અનુભવથી કહી શકશો. સવ્વપાવપણાસણો કે આ સર્વ પાપોનો નાશ કરનાર મંત્ર છે. આજે આટલું જ. હવે આપણે આ મહામંત્રનો ઉદ્દધોષ કરીશું. એમાં આપણે બધા સામેલ થઈએ. કોઈ અહીંથી બહાર નહીં જાય. જે લોકોને ઊભા રહીને આમંત્ર બોલવો હોય તેઓ ખુરશી છોડી બહાર આવી ઊભા રહે. સંન્યાસી હવે નાચશે અને આ મંત્રના ઉદ્ઘોષમાં ડૂબશે. આ મંત્રને તમારા પ્રાણોમાં ઉતારીને જ અહીંથી બહાર જજે. જેને બેસીને સાથ આપવો હોય તે તાળીના તાલે ઉદ્ઘોષ કરશે. બધા સામેલ થઈ જાવ, કોઈ ખાલી બેઠું ન રહે, કોઈ વ્યર્થ બેસી ન રહે.