Book Title: Namo Arihantanam Mantra
Author(s): Osho
Publisher: Upnishad Charitable Trust

View full book text
Previous | Next

Page 151
________________ ૧૪૬ સંયમની વિધાયકદ્રષ્ટી અલગ પ્રકૃતિનાં જ રૂપ હતાં. કેટલીક વાર આશ્ચર્ય ઊપજાવે એવી ઘટનાઓ બને છે. હમણા હમણાં રશિયામાં એક વૈજ્ઞાનિક વિદ્યુત (electricity) ના આધારે માનવીનું ચાર હિસ્સામાં વિભાજન કર્યું. દરેક વ્યક્તિના વિદ્યુતપ્રવાહઅલગ પ્રકારના હોય છે. એ વિદ્યુત પ્રવાહનો પ્રકાર અને બીજી વ્યક્તિઓથી અલગ પાડે છે. શરીરના વિદ્યુત પ્રવાહ બધાંના અલગ છે. હું માનું છું કે મહાવીરનો વિદ્યુતપ્રવાહ “positive-વિધાયક હતો. એટલે જ મહાવીર સક્રિય સાધનામાં કૂદી શક્યા. બુધ્ધનો વિદ્યુતપ્રવાહપ્રભાવ negative-નિષેધાત્મક હતો, જેને કારણે બુધ્ધને સક્રિય સાધનામાંથી કાંઈ ન મળ્યું. એક વખત બુધ્ધને બિલકુલ નિષ્ક્રિય અને શૂન્ય થવું પડ્યું. એ નિષ્ક્રિયતામાંથી બુધ્ધનો માર્ગ ખૂલ્યો. આ વ્યક્તિત્વના ભેદ છે, સિદ્ધાંતના ભેદનથી. આખી માનવજાતિ આજ સુધી ઘણા ઉપદ્રવમાં અટવાઈ ગઈ છે. કારણકે આપણે વ્યક્તિત્વના ભેદોને, સિદ્ધાંતના ભેદ સમજ વ્યર્થ વિવાદકરી રહ્યા છીએ. દરેકે પોતાના વ્યકિતત્વને ઓળખવું રહ્યું. દરેકે પોતાની વધુમાં વધુ સંવેદનશીલકઈ ઈન્દ્રીય છેતે શોધી લેવું જોઈએ. આપણી ક્ષમતાનો પ્રકાર અને આંકન કરી લેવાથી આપણો માર્ગ આપણને સ્પષ્ટ દેખાશે. સંયમના માર્ગ પર મહાવીર કામ આવશે. એ માર્ગે જનાર સાધક આસાનીથી આગળ વધી શકશે, પરંતુ પોતાની ક્ષમતાને સમજ્યા વિના, આંક્યા વિના, કોઈ અન્યની ક્ષમતાનું અનુકરણ કરવાની કોશિશ તમને રોજ મુશ્કેલીમાં મૂકશે, કારણકે એ તમારો માર્ગનથી, એ તમારું દ્વાર નથી. એટલે આ જગતમાં જો કોઈ મોટું દુર્ભાગ્ય હોય, તો તે એ છે કે આપણે જે કુટુંબમાં જન્મા હોઈએ તેના ધર્મને પોતાનો માની લીધો છે. ધર્મ આપણી શોધ કે પસંદગી નથી, પરંતુ મહાવીરના સમયમાં, મહાવીરના વિચારોએ જેમના જીવનમાં ક્રાંતિ આણી અને જેટલી મોટી સંખ્યામાં એ ક્રાંતિ લોકોમાં ઊતરી, તેટલી મહાવીર પછીનાં પચ્ચીસો વર્ષ દરમિયાન, એટલા લોકોમાં ક્રાંતિન થઈ. એનું એકમાત્ર કારણ એ છે કે મહાવીર પાસે ખેંચાઈને જે લોકો આવ્યા, તે બધાએ સભાન રીતે, મહાવીરનો માર્ગ જ પોતાનો માર્ગ છે એવી સમજપૂર્વકની પસંદગી કરી હતી, એ બધા જન્મ જૈનનહતામહાવીર પાસે આવ્યા તે પોતાની પસંદગીના આધારે આવ્યા હતા. એ એમની સ્વતંત્ર પસંદગી હતી. એમના વ્યક્તિત્વ અને મહાવીરના વ્યક્તિત્વ વચ્ચે એક ખાસ ખેંચાણ, એકચુંબક જેવું આકર્ષણ હતું, જેનાથી ખેંચાઈને તેઓ મહાવીર પાસે આવ્યા હતા. પરંતુ એમના પુત્રોનું શું? એમનો પુત્ર માત્ર એ કુટુંબમાં પેદા થયો તે કારણે મહાવીર પાસે જાય તો એ મહાવીર સુધી નહીં પહોંચી શકે. એટલે મહાવીર, બુધ્ધ, કૃષ્ણકે જિસસના જીવનકાળ દરમિયાન એમની પાસે જે ખેંચાઈને આવ્યા એમના જીવનમાં રૂપાંતર થયું. એ વિભૂતિઓની ગેરહાજરીમાં એવી જ ઘટના ફરી વાર બનતી નથી. પછી તો દરેક પેઢીનો ધર્મ, ધીમેધીમે ઔપચારિક બની જાય છે, ફોર્મલ રહી જાય છે. આ કુટુંબમાં પેદા થયા માટે એ કુટુંબના મંદિરમાં આપણે જવું રહ્યું. ઘર અને

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210